બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / વિશ્વ / PM Modi holds bilateral talks with his Nepalese counterpart Sher Bahadur Deuba in Lumbini
Hiralal
Last Updated: 03:59 PM, 16 May 2022
પીએમ મોદીએ સોમવારે ભગવાન ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની ખાતે તેમના નેપાળી સમકક્ષ શેર બહાદુર દેઉબા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.બંને નેતાઓએ બહુઆયામી દ્વિપક્ષીય ભાગીદારીમાં નવા ક્ષેત્રોની શોધ કરવા અને હાલના સહકારને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.
A total of six MoUs/Agreements were signed and exchanged during PM Narendra Modi's visit to Lumbini, Nepal. pic.twitter.com/uzW56CtenE
— ANI (@ANI) May 16, 2022
મહામાયા દેવી મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ શેર બહાદુર દેઉબાને મળ્યા
પીએમ દેઉબાના આમંત્રણ પર પીએમ મોદી બુદ્ધ પૂર્ણિમાના પ્રસંગે હિમાલયના દેશના લુમ્બિની પહોંચ્યા હતા. અહીંના મહામાયા દેવી મંદિરમાં પ્રાર્થના કર્યા પછી તેઓ તેમના નેપાળી સમકક્ષ શેર બહાદુર દેઉબાને મળ્યા.
Nepal | PM Narendra Modi and Nepal PM Sher Bahadur Deuba hold bilateral talks at Lumbini pic.twitter.com/ZJkadyDplZ
— ANI (@ANI) May 16, 2022
બન્ને નેતાઓ વચ્ચે આ ચર્ચા થઈ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન શેર બહાદુર દેઉબા સાથે લુમ્બિનીમાં દ્વિપક્ષીય વાતચીત કરી. આ આપણી બહુઆયામી ભાગીદારીમાં ચાલી રહેલા સહયોગને મજબૂત કરવા અને નવા ક્ષેત્રોની શોધ કરવાની તક છે. બંને નેતાઓએ જળવિદ્યુત અને કનેક્ટિવિટી જેવા અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવાની ચર્ચા કરી હતી." પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નેપાળની તેમની મુલાકાત અગાઉ તેમની મુલાકાતનો ઉદ્દેશ બંને દેશો વચ્ચેના સમયપરીક્ષિત સંબંધોને વધુ ગાઢ બનાવવાનો છે. તેમણે કહ્યું હતું કે, બંને પક્ષો હાઇડ્રોપાવર, વિકાસ અને કનેક્ટિવિટી સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે સમજૂતીને આગળ વધારશે.
ભારત અને નેપાળ વચ્ચે થયા 6 કરાર
ભારત અને નેપાળ વચ્ચે 6 કરાર થયા છે. નેપાળની મુલાકાત પહેલા જારી કરેલા એક નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, "નેપાળ સાથેના અમારા સંબંધો અનોખા છે. ભારત અને નેપાળ વચ્ચેનાં સાંસ્કૃતિક અને લોકો વચ્ચેનાં સંબંધો આપણાં ગાઢ સંબંધોનાં મજબૂત માળખા પર નિર્ભર છે. 2014 બાદ વડાપ્રધાન મોદીની આ પાંચમી નેપાળ યાત્રા છે. વડાપ્રધાન મોદી અને તેમની ટીમ સોમવારે સવારે ઉત્તર પ્રદેશના કુશીનગરથી ભારતીય વાયુસેનાના વિશેષ હેલિકોપ્ટર દ્વારા લુમ્બિની પહોંચ્યા હતા. તેઓ આજે સાંજે 4 વાગ્યે દેશ પરત ફરશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir