બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Kisan Yojana: Do these three things before your 15th week, otherwise you will be deprived of benefits.

PM Kisan Yojana / પીએમ કિસાન યોજના: 15મો હપ્તો આવે એ પહેલાં જ કરી લો આ ત્રણ કામ, નહીં તો લાભથી રહી જશો વંચિત

Megha

Last Updated: 01:21 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Kisan Yojana: PM કિસાન યોજનાના 15મા હપ્તાના પૈસા આ વર્ષે 27 નવેમ્બર સુધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે પણ એ પહેલા ખેડુતો માટે ત્રણ કામો કરાવવા જરૂરી છે

  • PM કિસાન યોજના હેઠળ 14 હપ્તા આપવામાં આવ્યા છે 
  • નવેમ્બર મહિનામાં આવી શકે છે 15મો હપ્તો
  • 15મા હપ્તા પહેલા ખેડુતો માટે ત્રણ કામો કરાવવા જરૂરી

PM Kisan Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (pm kisan samman nidhi yoja) હેઠળ ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોને 14 હપ્તામાં વહેંચવામાં આવ્યા છે. 

છેલ્લો હપ્તો 27 જુલાઈએ ખેડૂતોના ખાતામાં મોકલ્યા હતા 
એ વાત તો નોંધનીય છે કે મોદી સરકાર ગરીબ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે અને અત્યાર સુધીમાં 8.5 કરોડથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. આ યોજનાનો છેલ્લો હપ્તો 27 જુલાઈએ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો. હવે પીએમ કિસાન યોજનાના 15મા હપ્તા અંગે ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ચાલો જાણીએ કે ખેડૂતોને પીએમ કિસાન યોજનાના 15મા હપ્તાના પૈસા ક્યારે મળશે.

નવેમ્બર મહિનામાં આવી શકે છે 15મો હપ્તો
મળતી માહિતી અનુસાર PM કિસાન યોજનાના 15મા હપ્તાના પૈસા આ વર્ષે 27 નવેમ્બર સુધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે પણ એક વાત એ મહત્વની છે કે જે ખેડૂતોએ PM કિસાન યોજના માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમને જ આ પૈસા મળશે. 15મા હપ્તા પહેલા ખેડુતો માટે ત્રણ કામો કરાવવા જરૂરી છે, કારણ કે જો આ બાબતો નહી કરવામાં આવે તો તમારા હપ્તા અટવાઈ જવાની ખાતરી છે. 

ખૂબ લાભ મેળવો
પીએમ કિસાન યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને લાભો આપવામાં આવે છે. આમાં દર ચાર મહિને 2-2 હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે, એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા લાયક ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની કુલ આર્થિક સહાય આપવામાં આવે છે.

નંબર 1
જો તમે આ યોજના સાથે નવા જોડાયેલા છો અથવા પહેલેથી જ લાભાર્થી છો અને તમે હજુ સુધી તમારા જમીનના દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કર્યા નથી, તો તમારે આ કરવું પડશે. તમે આ કામ જેટલી જલ્દી પૂર્ણ કરી લો તેટલું જલ્દી તમારું કામ પૂરું થઈ જશે.

નંબર 2
PM કિસાન યોજના હેઠળ દરેક લાભાર્થી માટે e-KVEC કરાવવું ફરજિયાત છે. આ ન કરાવવાના કિસ્સામાં, તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો. તેથી, યોજનાના પોર્ટલ pmkisan.gov.in પર જઈને, તમારા નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને અથવા બેંકમાંથી, તમે ઈ-કેવાયસી કરાવી શકો છો.

નંબર 3
પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ માટે તેમના સક્રિય બેંક ખાતા સાથે તેમના આધાર કાર્ડને લિંક કરવું ફરજિયાત છે. જે ખેડૂતો આવું નહીં કરે તો તેઓ હપ્તાના લાભથી વંચિત રહી શકે છે.

PM કિસાન યોજના માટે ઓનલાઈન આ રીતે અરજી કરો
1. PM કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લો 
2. આ પછી Farmer Corner પર ક્લિક કરો.
3. New Farmer Registration નો વિકલ્પ પસંદ કરો.
3. Rural Farmer Registration કે Urban Farmer Registrationમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરો.
4. આ પછી આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો અને રાજ્ય પસંદ કરો.
5. મોબાઈલ પર મળેલ OTP નંબર દાખલ કરો.
6. વધુ વિગતો સિલેકટ કરીને રાજ્ય અને જિલ્લા સહિત બેંક, આધાર કાર્ડની માહિતી ભરો.
7. આ પછી આધાર ઓથેન્ટિકેશન માટે સબમિટ બટન પર ક્લિક કરો
8. ખેતી અને જમીન સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો.
9. બધી માહિતી ભર્યા પછી અને દસ્તાવેજ અપલોડ કરીને સેવ બટન પર ક્લિક કરો.
10. આ પછી સ્ક્રીન પર એપ્લિકેશન કન્ફર્મેશન મેસેજ આવશે એ રીતે તમે તમારું રજીસ્ટ્રેશન કરવી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ