બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Arohi
Last Updated: 10:29 AM, 17 February 2024
પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા સંકટની વચ્ચે રિઝર્વ બેંકે શુક્રવારે FAQ જાહેર કર્યું. FAQમાં રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંકની વિવિધ સેવાઓને લઈને લોકોના મનમાં ઉઠી રહેલા સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. તેની સાથે જ પેટીએમ ફાસ્ટેગનો ઉપયોગ કરી રહેલા કરોડો લોકોને પણ બધા સવાલોના જવાબ મળી ગયા.
હકીકતે પેટીએમ ફાસ્ટેગને પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે. જેના ઉપર ગયા મહિને રિઝર્વ બેંકે કાર્યવાહી કરી છે. રિઝર્વ બેંકે 31 જાન્યુઆરીએ એક્શન લેતા કહ્યું કે પેટીએમ પેમેન્ટ્સ બેંક કે વોલેટમાં 29 ફેબ્રુઆરી બાદ પૈસા એડ ન કરી શકાય. કારણ કે પેટીએમ ફાસ્ટેગ વોલેટથી લિંક થઈને કામ કરે છે. એવામાં 29 ફેબ્રુઆરી બાદ તેને રિચાર્જ કરવા પર પણ રોક લગાવવામાં આવી હતી. હવે રિઝર્વ બેંકે યુઝર્સને થોડી રાહત આપી છે અને તેમને થોડા દિવસનો વધારે સમય મળી ગયો છે.
RBIએ કેટલી આપી રાહત?
પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં પૈસા ક્રેડિટ કરવા કે ફાસ્ટેગને રિચાર્જ કરવા પર રોકની ડેડલાઈન હવે 29 ફેબ્રુઆરીથી વધારીને 15 માર્ચ કરી લીધી છે. એટલે કે પોટીએમ ફાસ્ટેગ યુઝર્સ 15 માર્ચ સુધી આજ રીતે પોતાના ફાસ્ટેગનો ઉપયોગ કરી શકો છો. જેમ તે હંમેશા કરાવતા આવ્યા છે. જોકે 15 માર્ચના બાદ વસ્તુઓ પહેલા જેવી નહીં રહે.
15 માર્ચ બાદ કરી શકાશે ઉપયોગ?
આરબીઆઈના એક્શન પહેલા લગભગ 2 કરોડ લોકો પેટીએમ ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા હતા. રિઝર્વ બેંકના એફએક્યૂના અનુસાર હવે આ યુઝર 15 માર્ચ બાદ પોતાના પેટીએમ ફાસ્ટેગને રિચાર્જ નહીં કરાવી શકે. જો તેમના ફાસ્ટેગમાં પહેલાથી પૈસા પડ્યા છે તો તે 15 માર્ચ બાદ પણ તે વધેલા પૈસાનો ઉપયોગ કરી શકે છે. રિઝર્વ બેંકની રોક ફાસ્ટેગના ઉપયોગ પર નથી પરંતુ તેને રિચાર્જ કરવા પર છે.
ટ્રાન્સફર થશે પેટીએમ ફાસ્ટેગ બેલેન્સ?
લોકોના મનમાં એક મોટો સવાલ એ હતો કે શું તે પોતાના પેટીએમ ફાસ્ટેગમાં પડેલુ બેલેન્સ બીજી બેંકના દ્વારા ઈશ્યૂ કરેલા ફાસ્ટેગમાં ટ્રાન્સફર કરી શકશે? તો રિઝર્વ બેંકે તેના પર કહ્યું છે કે એવું કરવું સંભવ નથી. આરબીઆઈ હાલ ફાસ્ટેગ પ્રોડક્ટમાં બેલેન્સ ટ્રાન્સફર કરવાની સુવિધા નથી આપતા. એવામાં યુઝર પોતાના પેટીએમ ફાસ્ટેગનું બેલેન્સ કોઈ બીજા ફાસ્ટેગમાં ટ્રાન્સફર નહીં કરી શકે.
વધુ વાંચો: NPS Account થઇ ગયું છે અનએક્ટિવ? તો તુરંત આ સ્ટેપ્સ ફૉલો કરો, એકાઉન્ટ શરૂ
આ રીતે બંધ કરો પેટીએમ ફાસ્ટેગ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir