બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / NPS account is frozen account will be activated by following these steps

તમારા કામનું / NPS Account થઇ ગયું છે અનએક્ટિવ? તો તુરંત આ સ્ટેપ્સ ફૉલો કરો, એકાઉન્ટ શરૂ

Vishal Dave

Last Updated: 05:19 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NPS એકાઉન્ટ નિવૃત્તિ પછી પેન્શનની આવક ચાલુ રાખવામાં ઘણી મદદ કરે છે. સરકારે પેન્શન માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આમાંની એક યોજના NPS છે.

  • NPS એટલે નેશનલ પેન્શન સિસ્ટમ
  • રોકાણ માટેની ઘણી યોજનાઓ પૈકિ એક છે NPS
  • 60 વર્ષની ઉંમર થાય એટલે 60 ટકા ઉપાડી શકાય 

વૃદ્ધાવસ્થામાં પણ આવક ચાલુ રાખવામાં પેન્શન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નિવૃત્તિ પછી પણ આવક ચાલુ રાખવા માટે, ઘણા લોકો તેમની નોકરીની શરૂઆતથી જ રોકાણ કરવાનું શરૂ કરે છે. હાલમાં રોકાણ માટે ઘણી યોજનાઓ અસ્તિત્વમાં છે. NPS (નેશનલ પેન્શન સિસ્ટમ-NPS) આમાંથી એક છે. આમાં ખાતાધારકને વળતરનો લાભ મળે છે. આ ઉપરાંત પાકતી મુદત પછી પેન્શનની સુવિધા પણ ઉપલબ્ધ છે. જ્યારે રોકાણકાર 60 વર્ષનો થાય છે, ત્યારે તે NPSમાં રોકાણ કરાયેલ કુલ રકમના 60 ટકા ઉપાડી શકે છે, જ્યારે 40 ટકા હિસ્સો એન્યુટી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ રીતે એનપીએસ વૃદ્ધાવસ્થા માટે વિશાળ ભંડોળ સાથે પેન્શનની પણ સુવિધા કરી આપે છે. 

જો રોકાણકાર આખા નાણાકીય વર્ષમાં એનપીએસ ખાતામાં ન્યૂનતમ રકમ જમા નથી કરાવતો તો તેનું ખાતું ફ્રીઝ થઈ જાય છે. રોકાણકારે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 500નું રોકાણ કરવું જોઈએ. ફ્રીઝ અથવા નિષ્ક્રિય એકાઉન્ટ ફરીથી સક્રિય કરી શકાય છે.

 

ચાલો તમને જણાવીએ કે ફ્રીઝ અથવા નિષ્ક્રિય એકાઉન્ટને  કેવી રીતે ફરીથી સક્રિય કરવું?


ફ્રોઝન એકાઉન્ટને ફરીથી સક્રિય કરવા માટે, તમારે UOS-S10-A ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ તમને પોસ્ટ ઓફિસમાં સરળતાથી મળી જશે. આ ઉપરાંત, તમે આ ફોર્મ તે બેંકમાંથી પણ લઈ શકો છો જ્યાં તમારું NPS ખાતું ખોલવામાં આવ્યું છે. તમે ઓનલાઈન ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છો.

 

ફોર્મ ભર્યા પછી, સબસ્ક્રાઇબરે PRAN કાર્ડની નકલ જોડવાની રહેશે.

આ સાથે, ખાતાધારકે વાર્ષિક લેણાં જમા કરાવવા પડશે અને પ્રતિ વર્ષ લેખે 100 રૂપિયાનો દંડ ભરવો પડશે.

અરજીપત્રક સબમિટ થયા બાદ અધિકારી દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે.

અરજી ફોર્મની ચકાસણી કર્યા પછી, પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને PRAN સક્રિય કરવામાં આવશે.

 

NPS વેબસાઇટ પરથી એકાઉન્ટ કેવી રીતે સક્રિય કરવું ?

તમે NPS વેબસાઇટ (https://www.indiapost.gov.in/Financial/pages/content/nps.aspx) પર જાઓ.

હવે તમારા PRAN નંબર અને પાસવર્ડની મદદથી લોગ ઇન કરો.
આ પછી માય એકાઉન્ટ પર ક્લિક કરો.
હવે અનફ્રીઝ એકાઉન્ટનો વિકલ્પ પસંદ કરો.
આ પછી તમારે તમામ જરૂરી માહિતી ભરવી પડશે અને લેટ ફી ચૂકવવી પડશે.
પેમેન્ટ કર્યા પછી તમારું એકાઉન્ટ એક્ટિવેટ થઈ જશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ