બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / મનોરંજન / બોલિવૂડ / Parineeti and Raghav Wedding Rituals Begin Today: From Chuda Ceremony to Phera Know Full Event Details
Megha
Last Updated: 08:52 AM, 23 September 2023
બોલિવૂડમાં વધુ એક લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે. અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાજનેતા રાઘવ ચઢ્ઢા લગ્ન કરવા જઈ રહ્યા છે અને રાજસ્થાનના ઉદયપુર સ્થિત તાજ પેલેસ હોટલમાં આ કપલના લગ્ન ભવ્ય અંદાજમાં યોજાશે. ચાલો જાણીએ પરિણીતી અને રાઘવના લગ્નનું સંપૂર્ણ શેડ્યૂલ.
લગ્નના મુખ્ય ફંક્શન ઉદયપુરની તાજ પેલેસ હોટલમાં
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નના કાર્યોની શરૂઆત નવી દિલ્હીમાં અરદાસ અને સૂફી રાત સાથે થઈ હતી. લગ્નના મુખ્ય ફંક્શન ઉદયપુરની તાજ પેલેસ હોટલમાં યોજાશે અને તેના માટે હોટલને પહેલેથી જ દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર, તાજ પેલેસને પર્લ વ્હાઇટ થીમથી સજાવવામાં આવ્યો છે અને પરિણીતી ચોપરાની બહેન પ્રિયંકા ચોપરા આજે સાંજ સુધીમાં ઇવેન્ટના સ્થળે પહોંચી જશે.અભિનેત્રી તેની બહેનના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
સવારે 10 વાગ્યે ચૂડા સેરેમની તો સાંજે 7 વાગ્યે સંગીત સેરેમની
પરિણીતી ચોપરાના લગ્નના સૌથી પ્રખ્યાત પ્રી-વેડિંગ ફંક્શન્સ 23 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 10 વાગ્યે ચૂડા સેરેમની સાથે શરૂ થશે. આ પછી સાંજે 7 વાગ્યે સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. સંગીત સમારોહના પ્લેલિસ્ટમાં કયા ગીતોનો સમાવેશ કરવામાં આવશે અને આ કાર્યક્રમ દરમિયાન ઉજવણી કેવી રીતે આગળ વધશે તેની માહિતી ધીમે ધીમે જાહેર કરવામાં આવશે. 23 સપ્ટેમ્બર પછી આ કપલ માટે 24 સપ્ટેમ્બરનો સૌથી વ્યસ્ત દિવસ રહેવાનો છે. કારણ કે આ દિવસે લગ્ન થવાના છે.
લગ્નનું શેડ્યૂલ - 24 સપ્ટેમ્બર 2023
24 સપ્ટેમ્બર 2023 પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હશે, કારણ કે આ દિવસે આ લવ બર્ડ્સ ધાર્મિક વિધિઓ સાથે 7 જન્મોના બંધનમાં બંધાઈ જશે.આ ખાસ દિવસના કાર્યક્રમો બપોરે 1 વાગ્યે સેહરાબંધીથી શરૂ થશે. ત્યારબાદ બપોરે 2 કલાકે બારાત નીકળશે અને બપોરે 3.30 કલાકે જયલમાલા થશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યાથી ફેરા શરૂ થશે. સાંજે 6.30 વાગ્યે વિદાય થશે અને રિસેપ્શન રાત્રે 8.30 વાગ્યે નક્કી કરવામાં આવ્યું છે.
આજના દિવસનો આવો છે કાર્યકમ
અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા આ દિવસોમાં તેમના લગ્નને લઈને સમાચારોમાં છે, બંને 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરશે. રાઘવ અને પરિણીતીના લગ્નની વિધિઓ આજથી શરૂ થશે, જેના માટે મહેમાનોના આવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પરિણીતીને સવારે 10 વાગ્યે ચૂડાપહેરાવવામાં આવશે. બપોરે 12 થી 4 વાગ્યા સુધી મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પછી, સાંજે 7 વાગ્યે મહેમાનો માટે 90 ના દાયકાની થીમ પર આધારિત પાર્ટીનું આયોજન કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir