બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / paresh dhanani Arjun Modhwadia tweet coronavirus
Kavan
Last Updated: 11:50 PM, 27 April 2020
કોંગ્રેસી નેતા અર્જૂન મોઢવાડિયાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરીને સરકાર પર નિશાન શાધ્યું હતું. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, સરકાર કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા છૂપાવી રહી છે.
અર્જૂન મોઢવાડિયાએ આંકડા છૂપાવવાનો મુક્યો આરોપ
આ સાથે જ તેણે લખ્યું હતું કે, કોરોના વાયરસના આંકડા છૂપાવવા માટે ગુજરાતમાં ઓછાં ટેસ્ટિંગ કરવામાં આવે છે, તો તેમણે જણાવ્યું હતું કે, કેરળ અને રાજસ્થાનમાં કોરોના વાયરસના સૌથી વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે અને ત્યાં સ્થિતિ કાબૂમાં છે.
Test,Test,Test is the key to fight Corona, not lockdown only.
— Arjun Modhwadia (@arjunmodhwadia) April 27, 2020
Govt of Gujarat is lessening the numbers of tests to hide the actual number of CORONA+.
While Kerala & Rajshthan are leading in numbers of tests as well as containment of spread of the virus.#coronavirus pic.twitter.com/FvLP7kWTkI
પરેશ ધાનાણીએ ટ્વીટ કરી સરકાર પર કર્યા આક્ષેપ
આ તરફ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ સરકાર પર ટ્વીટર બાણ છોડતા કહ્યું હતું કે, શંકાના દાયરામાં ખુદ સરકાર છે. કારણ કે સરકાર રાજ્યમાં કોરોના વાયરસના કેસની વિગતો છૂપાવી રહી છે. તેણે પોતાની ભાવવહી શૈલીમાં અનેક ટ્વીટ કરીને સરકાર પર પ્રહાર કર્યા હતા
ટ્વીટ-1
""શંકાના દાયરામાં, ખુદ સરકાર""
— Paresh Dhanani (@paresh_dhanani) April 27, 2020
રાજ્યોમાં કોરોનાની વૈશ્વિક મહામારી વિરૂદ્ધ
કોંગ્રેસ સહિત આખી દુનિયા 'જંગ' લડી રહી
છે ત્યારે..,
'કોમવાદી કોરોના'થી સામાજિક સૌહાર્દને
જોખમમાં મૂકી અને ખુદ ભાજપ સરકાર
રાજકીય લાભ શું કામે શોધી રહી છે..?
ટ્વીટ-2
""શંકાના દાયરામાં, ખુદ સરકાર""
— Paresh Dhanani (@paresh_dhanani) April 27, 2020
રાજ્યમા કોરાનાના દર્દીઓમા સૌથી ઉંચા
'મૃત્યુદર' અંગે અપૂરતા ડોક્ટરો,પેરા મેડિકલ
સ્ટાફની ઘટ અને આધુનિક સાધનોની ઉણપ
વધુ જવાબદાર છે ત્યારે.,
અમદાવાદ તથા સુરત મ્યુ. કમિશ્નરે વ્યક્ત
કરેલી 'દહેશત' થી રાજ્યમા લાખો લોકો
સંક્રમિત થયા હોવાની શંકા ઉપજાવે છે.!
ટ્વીટ-3
""શંકાના દાયરામાં, ખુદ સરકાર""
— Paresh Dhanani (@paresh_dhanani) April 27, 2020
કોરોનાની "ચકાસણી" અંગે સમગ્ર વિશ્વની
સરખામણીએ ભારત તથા ગુજરાતમાં ખૂબ
ઓછા સેમ્પલો ટેસ્ટ થઈ રહ્યા છે અને..,
હાલ વણ નોંધાયેલા હજારો દર્દીઓની સંખ્યા
છૂપાવવા માટે સમગ્ર રાજ્યમાં સેમ્પલ સર્વેની
ગતિ ધીમી પાડી દેવામાં આવી છે..!
ટ્વીટ-4
""શંકાના દાયરામાં, ખુદ સરકાર""
— Paresh Dhanani (@paresh_dhanani) April 27, 2020
રાજ્યમાં "કથળેલી આરોગ્ય સેવાઓ" ને કારણે
કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યું છે અને આજ
પર્યત નોંધાયેલા ૩૩૦૧ પોઝિટિવ કેસ સાથે ૧૫૧
જેટલા લોકો મોતના મુખમાં ધકેલાઈ ચુક્યા છે..!
ટ્વીટ-5
""શંકાના દાયરામાં, ખુદ સરકાર""
— Paresh Dhanani (@paresh_dhanani) April 27, 2020
આંતરરાષ્ટ્રિય એરપોર્ટને અગાઉથી તાળાબંધી કરી
હોત તો સમગ્ર દેશને લોકડાઉનનો સામનો કરવાથી
બચાવી શકાયુ હોત પરંતુ સમગ્ર રાજ્યનાં લોકોએ
તાળી પાડી, થાળી વગાડી અને દિવડા કર્યા પછીયે
ગુજરાત કોરોના હોટ સ્પોટ તરીકે ઉભરી રહ્યું છે.!
ટ્વીટ-6
""શંકાના દાયરામાં, ખુદ સરકાર""
— Paresh Dhanani (@paresh_dhanani) April 27, 2020
"કોરોના" અંગે કોંગ્રેસની 'આગોતરી' ચેતવણીને
અવગણીને રાજ્ય સરકાર રાજકીય તાયફાઓ
યોજતી રહી અને 'નમસ્તે ટ્રંપ' માટે ભેગી કરેલી
લાખો લોકોની ભીડે સમગ્ર ગુજરાતમાં કોરોનાનું
સંક્રમણ વધાર્યું..!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ