બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Priyakant
Last Updated: 12:07 PM, 13 January 2024
Bengal Sadhu Mob Lynching : પશ્ચિમ બંગાળમાં પાલઘર જેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે. ગુરુવારે સાંજે એક વિશાળ ભીડે ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને બાળક ઉપાડનારા સમજીને નિર્દયતાથી માર માર્યો હતો. આ મામલો પુરુલિયા જિલ્લાનો છે. આ તરફ હવે ઘટનાનો 30 સેકન્ડનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર પ્રહારો કર્યા છે. હાલમાં TMCએ આરોપો પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી નથી.
IT સેલના વડા અમિત માલવિયાએ શેર કર્યો વીડિયો
ભારતીય જનતા પાર્ટીના IT સેલના વડા અમિત માલવિયાએ વીડિયો શેર કરતા લખ્યું છે કે, મમતા બેનર્જીના મૌન પર શરમ આવે છે! શું આ હિન્દુ સંતો તમારી માન્યતાને લાયક નથી? આ અત્યાચાર જવાબદારી માંગે છે. આ ઘટનાને 2020ની પાલઘર મોબ લિંચિંગ સાથે સરખાવતા અમિત માલવિયાએ લખ્યું કે, પશ્ચિમ બંગાળના પુરુલિયામાંથી એકદમ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે... મકરસંક્રાંતિ માટે ગંગાસાગર જઈ રહેલા સાધુઓને સત્તાધારી TMC સાથે સંકળાયેલા ગુનેગારો દ્વારા નિર્વસ્ત્ર કરીને એવો દાવો કરીને મારવામાં આવ્યા કે, પશ્ચિમ બંગાળમાં હિંદુ હોવું એ ગુનો છે. ભાજપના નેતાએ કહ્યું, મમતા બેનર્જીના શાસનમાં શાહજહાં શેખ જેવા આતંકવાદીઓને રાજ્ય સુરક્ષા મળે છે અને સાધુઓની હત્યા કરવામાં આવી રહી છે.
Absolutely shocking incident reported from Purulia in West Bengal. In a Palghar kind lynching, sadhus traveling to Gangasagar for Makar Sankranti, were stripped and beaten by criminals, affiliated with the ruling TMC.
— Amit Malviya (@amitmalviya) January 12, 2024
In Mamata Banerjee’s regime, a terrorist like Shahjahan Sheikh… pic.twitter.com/DsdsAXz1Ys
BJP સાંસદ લોકેટ ચેટર્જીએ મમતા પર નિશાન સાધ્યું
ભાજપ સાંસદ લોકેટ ચેટર્જીએ કહ્યું કે, તેઓ પુરુલિયાની ઘટનાથી નારાજ છે. તેમણે ટ્વિટર પર લખ્યું, ગંગાસાગર જઈ રહેલા સાધુઓ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો, જે TMC હેઠળ બગડતી સુરક્ષાનો ચોંકાવનારો પુરાવો છે. મમતાનું શાસન શાહજહાં શેખ જેવા આતંકવાદીઓને રક્ષણ આપે છે, જ્યારે સાધુઓને ક્રૂર ટોળાનો સામનો કરવો પડે છે.
Outraged by the Purulia incident! Sadhus en route to Gangasagar brutally attacked—shocking evidence of deteriorating safety under TMC. Mamata's regime shields terrorists like Shahjahan Sheikh, while sadhus face brutal lynching. A grim reality for Hindus in Bengal. #SaveBengal https://t.co/0O6TJAbwqE
— Locket Chatterjee (@me_locket) January 12, 2024
શું હતો પાલઘર કેસ?
16 એપ્રિલ, 2020ના રોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક જૂથ દ્વારા બે સાધુઓને માર મારવામાં આવ્યા હતા. કથિત રીતે તેઓને બાળક ઉપાડનારાઓ તરીકે ઓળખવામાં આવ્યા હતા. સાધુ અંતિમ સંસ્કાર માટે સુરત જઈ રહ્યા હતા ત્યારે પાલઘરના આદિવાસી ગામ ગઢચિંચલમાં ગ્રામજનોના એક જૂથે તેમનું વાહન રોક્યું અને તેમના પર પથ્થરો, લાકડીઓ અને કુહાડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાના સંદર્ભમાં 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
વધુ વાંચો: 'લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં આવશે રાજકીય ભૂકંપ', CM એકનાથ શિંદેનો દાવો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir