બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:13 PM, 18 March 2024
પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલા પાછળનો મુખ્ય ઈરાદો TTP આતંકવાદીઓને ખતમ કરવાનો હતો. અફઘાનિસ્તાન દ્વારા પણ આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદી વિસ્તારોને અડીને આવેલા ખોસ્ત અને પાકિતકા પ્રાંતના વિસ્તારોને પાકિસ્તાની વાયુસેના દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની વાયુસેનાએ ખાસ કરીને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના એક કમાન્ડરના ઘરને નિશાન બનાવીને આ હુમલો કર્યો છે. હવાઈ હુમલા દરમિયાન પાકિસ્તાની સેનાએ બે અલગ-અલગ વિસ્તારોમાં હુમલા કર્યા છે.
ADVERTISEMENT
An exchange of fire with heavy weapons continues between the Pakistan Army and the Afghan Taliban forces on the Pak Afghan border.#PakistanAirForce #AirStrike #Afghanistan #PakistanArmy #terrorist #Taliban #ByeByeModi pic.twitter.com/gFz0dkjB0R
— Chegg Pakistan (@CheggPk) March 18, 2024
ADVERTISEMENT
8 આતંકીઓને ઠાર કર્યા
લગભગ રાતભર ચાલેલા હુમલામાં પાકિસ્તાની સેનાએ 8 આતંકીઓને ઠાર કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર્યો ગયો આતંકી હાફિઝ ગુલબહાદર ગ્રુપ સાથે સંકળાયેલો હતો. હવાઈ હુમલાના લગભગ બે દિવસ પહેલા આતંકવાદીઓએ પાકિસ્તાનના વઝીરિસ્તાન વિસ્તારમાં સ્થિત આર્મી પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન 7 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલાના જવાબમાં પાકિસ્તાની સેનાએ હવાઈ હુમલો કર્યો છે.
ADVERTISEMENT
Good evening everyone The situation on the border between #Afghanistan and #Pakistan is getting worse quickly. Both sides are fighting and using weapons, which is making life hard for people who live there, especially during Ramadan.#AirStrike #Pakistan #PakistanArmy #Putin
— Simmy (@SatnamSing95754) March 18, 2024
RT pic.twitter.com/68ccQyoStD
ADVERTISEMENT
વધુ વાંચો : ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા? ચૂંટણી જીતતા જ પુતિનનો લલકાર, આપી પશ્ચિમ દેશોને ચેતવણી
જીવ ગુમાવનારાઓમાં 5 જવાનોનો પણ સમાવેશ
ADVERTISEMENT
આતંકવાદીઓના આ હુમલામાં પાકિસ્તાનના એક લેફ્ટનન્ટ કર્નલ અને એક કેપ્ટન શહીદ થયા હતા. આ સિવાય જીવ ગુમાવનારાઓમાં 5 જવાનોનો પણ સમાવેશ થાય છે. તેમના મૃત્યુ પછી, તેમને રવિવારના રોજ સમાધિ આપવામાં આવી હતી. ઘટના બાદ પાકિસ્તાની સેનાની મીડિયા વિંગે આ મામલાની માહિતી શેર કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, 16 માર્ચની સવારે આતંકવાદીઓના એક જૂથે વજીરિસ્તાનમાં આર્મી પોસ્ટ પર હુમલો કર્યો હતો. જો કે સેનાએ આતંકીઓના આ નાપાક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આનાથી ગુસ્સે થઈને આતંકીઓ વિસ્ફોટક સામગ્રીથી ભરેલું પોતાનું વાહન પોસ્ટ પર લઈ ગયા અને તેને ટક્કર મારી દીધી. જેમાં અનેક જવાનો શહીદ થયા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.