બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Pravin Joshi
Last Updated: 09:13 PM, 18 March 2024
પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલા પાછળનો મુખ્ય ઈરાદો TTP આતંકવાદીઓને ખતમ કરવાનો હતો. અફઘાનિસ્તાન દ્વારા પણ આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદી વિસ્તારોને અડીને આવેલા ખોસ્ત અને પાકિતકા પ્રાંતના વિસ્તારોને પાકિસ્તાની વાયુસેના દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની વાયુસેનાએ ખાસ કરીને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના એક કમાન્ડરના ઘરને નિશાન બનાવીને આ હુમલો કર્યો છે. હવાઈ હુમલા દરમિયાન પાકિસ્તાની સેનાએ બે અલગ-અલગ વિસ્તારોમાં હુમલા કર્યા છે.
An exchange of fire with heavy weapons continues between the Pakistan Army and the Afghan Taliban forces on the Pak Afghan border.#PakistanAirForce #AirStrike #Afghanistan #PakistanArmy #terrorist #Taliban #ByeByeModi pic.twitter.com/gFz0dkjB0R
— Chegg Pakistan (@CheggPk) March 18, 2024
8 આતંકીઓને ઠાર કર્યા
લગભગ રાતભર ચાલેલા હુમલામાં પાકિસ્તાની સેનાએ 8 આતંકીઓને ઠાર કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર્યો ગયો આતંકી હાફિઝ ગુલબહાદર ગ્રુપ સાથે સંકળાયેલો હતો. હવાઈ હુમલાના લગભગ બે દિવસ પહેલા આતંકવાદીઓએ પાકિસ્તાનના વઝીરિસ્તાન વિસ્તારમાં સ્થિત આર્મી પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન 7 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલાના જવાબમાં પાકિસ્તાની સેનાએ હવાઈ હુમલો કર્યો છે.
Good evening everyone The situation on the border between #Afghanistan and #Pakistan is getting worse quickly. Both sides are fighting and using weapons, which is making life hard for people who live there, especially during Ramadan.#AirStrike #Pakistan #PakistanArmy #Putin
— Simmy (@SatnamSing95754) March 18, 2024
RT pic.twitter.com/68ccQyoStD
વધુ વાંચો : ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા? ચૂંટણી જીતતા જ પુતિનનો લલકાર, આપી પશ્ચિમ દેશોને ચેતવણી
જીવ ગુમાવનારાઓમાં 5 જવાનોનો પણ સમાવેશ
આતંકવાદીઓના આ હુમલામાં પાકિસ્તાનના એક લેફ્ટનન્ટ કર્નલ અને એક કેપ્ટન શહીદ થયા હતા. આ સિવાય જીવ ગુમાવનારાઓમાં 5 જવાનોનો પણ સમાવેશ થાય છે. તેમના મૃત્યુ પછી, તેમને રવિવારના રોજ સમાધિ આપવામાં આવી હતી. ઘટના બાદ પાકિસ્તાની સેનાની મીડિયા વિંગે આ મામલાની માહિતી શેર કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, 16 માર્ચની સવારે આતંકવાદીઓના એક જૂથે વજીરિસ્તાનમાં આર્મી પોસ્ટ પર હુમલો કર્યો હતો. જો કે સેનાએ આતંકીઓના આ નાપાક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આનાથી ગુસ્સે થઈને આતંકીઓ વિસ્ફોટક સામગ્રીથી ભરેલું પોતાનું વાહન પોસ્ટ પર લઈ ગયા અને તેને ટક્કર મારી દીધી. જેમાં અનેક જવાનો શહીદ થયા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir