બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Manisha Jogi
Last Updated: 08:54 AM, 3 September 2023
સરકારે ‘એક દેશ એક ચૂંટણી’ પર કમિટીનું ગઠન કર્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સમિતિના ચેરમેન છે. ઉપરાંત સમિતિમાં અન્ય સાત સભ્ય પણ છે. વિપક્ષ તરફથી અધીર રંજન ચૌધરીને સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યસભત્રામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ, 15માં નાણાંકીય આયોગના પૂર્વ ચેરમેન એન.કે. સિંહ, લોકસભાના પૂર્વ મહાસચિવ ડૉ.સુભાષ સી કશ્યપ, સિનિયર એડવોકેટ હરીશ સાલ્વે અને પૂર્વ ચીફ વિજિલેંસ કમિશનર સંજય કોઠારી પણ શામેલ છે.
ન્યાય વિભાગે આ બાબતે રિઝોલ્યુશન જાહેર કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ‘એક દેશ એક ચૂંટણી’ સરકાર તરફથી હાઈ લેવલ કમિટી બનાવવામાં આવી છે. તમામ સભ્યોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, સમિતિમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સ્પેશિયલ ઈનવાઈટી હશે. કાયદાકીય વિભાગના સચિવ નિતેન ચંદ્રા સમિતિમાં સચિવ હશે.
‘વન નેશન વન ઈલેક્શન’ પર ગઠિત આ ઉચ્ચ સ્તરીય કમિટી દળ, નેતાઓની સાથે સામાન્ય લોકો સાથે પણ વાતચીત કરશે. તમામ લોકોની સલાહ લઈને એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારપથી સરકાર કાયદો બનાવવા માટે સંસદમાં બિલ રજૂ કરશે.
‘એક દેશ એક ચૂંટણી’ પ્રપોઝલ છે. જેમાં લોકસભા તથા તમામ રાજ્ય વિધાનસભાઓની સાથે પંચાયતો માટે પણ એક સાથે ચૂંટણી કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં એક ચરણમાં જ ચૂંટણી થશે. હાલના સમયમાં દર પાંચ વર્ષ પછી લોકસભા ચૂંટણી થાય છે. રાજ્ય વિધાનસભામાં દર 3 અથવા 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે. સરકાર જણાવે છે કે, , ‘એક દેશ એક ચૂંટણી’થી ઈલેક્શન પર થતા ખર્ચામાં ઘટાડો થશે.
વારંવાર ચૂંટણીના કારણે નિર્વાચન અધિકારીઓ અને સુરક્ષાબળોએ પોતાનું કામકાજ છોડીને લાંબા સમય સુધી ચૂંટણીની ડ્યુટીમાં જોડાવું પડે ચે. ઉપરાંત વધુ સમય સુધી આદર્શ આચાર સંહિતા લાગુ થવાને કારણે દેશના વિકાસકાર્યોમાં પણ અડચણ ઊભી થાય છે.
ભારતના વિધિ આયોગે નિર્વાચન વિધિઓમાં સુધારા પર 170મા રિપોર્ટમાં જણાવ્યું છે કે, દર વર્ષે થતા નિર્વાચનોના ચક્રનો અંત કરવો જોઈએ. અગાઉની પરિસ્થિતિનું ફરીથી અવલોકન કરવું જોઈએ, જ્યાં લોકસબા અને તમામ વિધાનસબા માટે નિર્વાચન એકસાથે કરવામાં આવે છે.
સમિતિના ટર્મ્સ અને નિર્દેશોને સ્પષ્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે, ભારતના સંવિધાન તથા અન્ય કાયદાકીય ઉપબંધોને આધિન લોકસભા, રાજ્ય વિધાનસભા, નગરપાલિકા તથા પંચાયતોની સાથે સાથે નિર્વાચન આયોજિત કરવા માટેની તપાસ અને રજૂઆત કરવી શામેલ છે.
ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષ આ પ્રકારના ભથ્થાઓ માટે હકદાર રહેશે, જે રાષ્ટ્રપતિ ઉપલબ્ધિ અને પેન્શન અધિનિયમ, 1951માં જણાવેલ છે. ઉચ્ચસ્તરીય સમિતિના તમામ સભ્ય ઉચ્ચત્તમ શ્રેણીના સરકારી સેવકોને લાગુ થતા દર અને ટ્રાવેલ ભથ્થા માટે હકદાર હશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir