બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / offer bilipatra to shivji in shravan month 2023

ધર્મ / આવી રહ્યો છે શ્રાવણ મહિનો... બિલિપત્ર જ નહીં પીપળો-આંકડા સહિત આ વૃક્ષોના પાનથી પણ પ્રસન્ન થાય છે ભોળાનાથ

Arohi

Last Updated: 12:12 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shravan Month 2023: શ્રાવણના મહિનામાં શિવજીની પૂજા કરવી જીવનના દરેક દુખ દૂર કરે છે અને બધી મનોકામનાઓ પુરી કરે છે. તમે પણ ભોલેનાથને પ્રસન્ન કરવા માંગો છો તો આ ઉપાય જરૂર કરો.

  • આવી રહ્યો છે શ્રાવણ મહિનો... 
  • બિલિપત્રની સાથે આ વૃક્ષના પાન કરો અર્પણ
  • શ્રાવણમાં પ્રસન્ન થશે ભોલેનાથ

થોડા સમયમાં શ્રાવણ મહિનાની શરૂઆત થશે. શ્રાવણનો મહિનો ભગવાન શિવજીને સમર્પિત છે અને આ વખતે તો શિવ ભક્તોને ભોલેનાથને પ્રસન્ન કરવા માટે 2 મહિનાનો સમય મળશે. સાથે જ શ્રાવણ સોમવાર પણ 8 હશે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને શ્રાવણ સોમવારના દિવસે શિવજીની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. 

સાથે જ શિવલિંગ પર તે બધી વસ્તુ ચડાવવી જોઈએ જે શિવજીને પ્રિય છે. જેવી કે બિલિપત્ર, ધતૂરો, આકડાના ફૂલ વગેરે. આ ફૂલ-પાન ચડાવવા ભોલેનાથને પ્રસન્ન કરવાની સૌથી સરળ રીત છે. આમ પણ શિવજી માટે કહેવામાં આવ્યું છે કે તે સંપૂર્ણ ભક્તિ ભાલથી ચડાવવામાં આવેલા સુકા પાનથી પણ પ્રસન્ન થઈ જાય છે.  

શિવજીને અર્પિત કરો આ પાન 
શિવજીને બિલિપત્ર ખૂબ જ પ્રિય છે માટે શિવજીની પૂજા-અભિષેકમાં બિલિપત્રનો ઉપયોગ જરૂર કરો. બિલિપત્ર ચડાવવાથી મહાદેવ ખાસ કૃપા કરે છે. તેના શિવાય પણ અમુક અન્ય ઝાડના પાન છે જેને શિવલિંગ પર ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

શમીના પાન 
માનવામાં આવે છે કે શમીના પાનનો સંબંધ શનિદેવ સાથે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શમીના ઝાડની પૂજા અને શનિદેવને શમીના પાન ચડાવવામાં આવે છે. પરંતુ ભોલેનાથને પણ શમીના પાન ખૂબ જ પ્રિય છે. 

જો શ્રાવણ મહિનામાં રોજ સવારે શિવલિંગ પર ગંગાજળ ચડાવવામાં આવે અને તેના બાદ બિલિપત્રની સાથે જ શમીના પાન પણ ચડાવવામાં આવે તો મહાદેવ કૃપા કરે છે. સાથે જ કુંડળીમાં ઘણા દોષ પણ દૂર થાય છે. 

ધતૂરાના પાન 
શિવલિંગ પર ધતૂરો ચડાવવો ખૂબ જ મહત્વપૂર્ણ ફળ આપે છે. માટે શિવજીની પૂજામાં ધતૂરાનો ઉપયોગ જરૂર થાય છે. પરંતુ ખૂબ ઓછા લોકો આ જાણે છે કે ધતૂરાના પાન પણ પૂજામાં ચડાવવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. ધતૂરાના પાન ચડાવવાથી ભક્તના ખરાબ વિચાર અને ખરાબ ભાવનાઓ નષ્ટ થઈ જાય છે. તેમના વિચાર સકારાત્મ થઈ જાય છે. 

આકડાના પાન 
શિવજીની પૂજામાં આકડાના ફૂલ કે આકડાના પાનનો ઉપયોગ થાય છે. આકડાના ફૂલની સાથે સાથે આકડાના પાનનું પણ ખૂબ મહત્વ છે. આ શ્રાવણના મહિનાનામાં શિવજીને આકડાના પાન ચડાવો, આમ કરવાથી બધી સમસ્યા દૂર થઈ શકે છે. 

પીપળાના પાન 
પીપળાના ઝાડ પર ત્રિદેવ- બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે શિવજીનો વાસ હોય છે. શિવજીની પૂજામાં પીપળાના પાન ચડાવવામાં પણ ખૂબ લાભ થાય છે. જો પીપળાના પાન પર શ્રીરામનું નામ લખીને હનુમાનજી અને શિવજીને અર્પિત કરવામાં આવે તો કુંડળીના ઘણા ગ્રહ દોષ દૂર થાય છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ