બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / norovirus cases in kerala wayanad know symptoms
Kavan
Last Updated: 07:52 PM, 12 November 2021
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે શુક્રવારે લોકોને પેટ સંબંધિત આ બિમારી અંગે જાગૃત રહેવાની અપીલ કરી હતી અને માર્ગદર્શિકા બહાર પાડી હતી. કેરળના વાયનાડમાં નોરોવાયરસના 13 કેસ મળી આવ્યા છે.
2 અઠવાડિયા પહેલા જ નોરોવાયરસના નોંધાયા હતા કેસ
બે અઠવાડિયા પહેલા નોરોવાયરસ, દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાતો પ્રાણીજન્ય રોગ, વાયનાડ જિલ્લાના વિથિરી નજીક પુકોડે ખાતે વેટરનરી કોલેજના 13 વિદ્યાર્થીઓમાં નોંધાયો હતો. વીણા જ્યોર્જે કહ્યું કે, અત્યારે ચિંતા કરવાની કોઈ વાત નથી, પરંતુ દરેકે સતર્ક રહેવાની જરૂર છે. સુપર ક્લોરીનેશન સહિતની પ્રવૃતિઓ ચાલી રહી છે. પીવાના પાણીના સ્ત્રોતોને સ્વચ્છ રાખવાની જરૂર છે.” તેમણે કહ્યું કે યોગ્ય નિવારણ અને સારવારથી આ રોગ મટાડી શકાય છે. તેથી દરેક વ્યક્તિએ આ રોગ અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાણવું જોઈએ.
નોરોવાયરસ શું છે?
નોરોવાયરસ જઠરાંત્રિય બિમારીનું કારણ બને છે, જેમાં પેટ અને આંતરડામાં બળતરા, ગંભીર ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. નોરોવાયરસ તંદુરસ્ત લોકો પર વધુ અસર કરતું નથી, પરંતુ તે નાના બાળકો, વૃદ્ધો અને અન્ય ગંભીર રોગોથી પીડિત લોકો માટે જોખમી બની શકે છે. તે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી અથવા ચેપગ્રસ્ત સ્થળને સ્પર્શ કરવાથી એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. આ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિના મળ અને ઉલ્ટી દ્વારા પણ ફેલાય છે.
નોરોવાયરસના લક્ષણો શું છે
ઝાડા, પેટમાં દુખાવો, ઉલટી, ઉબકા, ખૂબ તાવ, માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો નોરોવાયરસના કેટલાક સામાન્ય લક્ષણો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે વધુ પડતા ઝાડા કે ઉલ્ટી થવાથી શરીરમાં પાણીની કમી થઈ શકે છે અને તેનાથી કોમ્પ્લીકેશન થઈ શકે છે.
નોરોવાયરસથી કેવી રીતે બચવું?
કેરળના આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા જણાવે છે કે જેઓ નોરોવાયરસથી સંક્રમિત છે તેઓએ ઘરે આરામ કરવો જોઈએ. ORS અને ઉકાળેલું પાણી પીતા રહો. ખોરાક ખાતા પહેલા અને શૌચ કર્યા પછી હાથને સારી રીતે ધોઈ લો. પ્રાણીઓના સંપર્કમાં આવતા લોકોને ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir