બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Night curfew extended Ahmedabad gujarat coronavirus

મોટો નિર્ણય / અમદાવાદમાં આવતીકાલથી રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રી કર્ફ્યુ, દર શનિ-રવિ મોલ-સિનેમા રહેશે બંધ

Hiren

Last Updated: 08:35 PM, 18 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના મહાનગરોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે આજે અમદાવાદ શહેરમાં 298 નવા કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • અમદાવાદમાં આવતીકાલથી રાતે 9 વાગ્યાથી રાત્રી કર્ફ્યુ
  • શનિવાર અને રવિવારે મોલ અને સિનેમાગૃહ બંધ રહેશે
  • આજે અમદાવાદ શહેરમાં 298 નવા કેસ નોંધાયા

અમદાવાદમાં કર્ફ્યુનો સમય વધારવામાં આવ્યો છે. રાત્રીના 9 વાગ્યા બાદ બહાર નિકળી શકાશે નહીં. અગાઉ 10 વાગ્યાથી કર્ફ્યુ લાગુ કર્યો હતો. પરંતુ વધતા કેસને લઈ કર્ફ્યુનો સમય 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરી દેવાયો છે. તો શની-રવિ માટે પણ કર્ફ્યુના નિયમ જાહેર કરાયા છે. શનિ-રવિના દિવસોમાં મોલ-સિનેમા બંધ રખાશે. અને ખાણી-પીણીના સ્થળ ઉપર પણ તંત્રની તાકતી નજર રહેશે. રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વના નિર્ણયો લીધા છે. 

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાઇ પ્રેસનોટ

મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને વધુ એક નિર્ણય લેવાયો છે. રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. રાજીવ કુમાર ગુપ્તા, મનપા કમિશ્નર મુકેશ કુમાર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં અમદાવાદા મનપા દ્વારા ડેઝિગ્નેટ કરાયેલી ખાનગી કોવિડ-19 હોસ્પિટલોની સંખ્યા, પથારીઓની ઉપલબ્ધતા, મેડીકલ અને પેરા-મેડિકલ સ્ટાફની સ્થિતિ, ટેસ્ટીંગ માટેની સુવિધા, અન્ય દવાઓની ઉપલબ્ધતા અને રસીકરણ વગેરેને ધ્યાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે વિસ્તૃત સમીક્ષા બાદ અમદાવાદમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.

1. અમદાવાદ શહેરના તમામ મોલ અને સિનેમાગૃહો દર શનિ-રવિવારે સંપૂર્ણ બંધ રહેશે. અન્ય દિવસોમાં કોવિડ પ્રોટોકોલનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે.
2. શહેરમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. જેનો તમામ શહેરીજનોએ ચૂસ્ત અમલ કરવાનો રહેશે.

મનપા દ્વારા કોરોના સંક્રમણને ફરી વધતુ અટકાવવા તમામ શહેરીજનોને સહકાર આપવા, માસ્ક અચૂક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અપીલ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, શની-રવિના દિવસે લોકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં મોલ અને માર્કેટમાં પહોંચતા હોય છે. જેના કારણે સરકારે આ નિર્ણય અમદાવાદ માટે કર્યો છે. જો કે, અગાઉ સુરતમાં પણ મોલ અને સિનેમા માટે શનિ-રવિના દિવસોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શનિ-રવિના દિવસોમાં પણ 9 વાગ્યા સુધી બહાર રહી શકાશે. 

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના સંકટ વધુ ઘેરાઇ રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.  ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1276 નવા દર્દી જ્યારે 899 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે 3 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.

સુરત અને અમદાવાદમાં કોરોનાનો હાહાકાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 324 કેસ અને ગ્રામ્યમાં 71 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 298 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 111 કેસ, જ્યારે ગ્રામ્યમાં 18 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 98 કેસ અને ગ્રામ્યમાં 15 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ