બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Bijal Vyas
Last Updated: 02:03 PM, 3 July 2023
Tulsi Niyam : સનાતન ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં માનતા દરેક ઘરમાં તમને તુલસીનો છોડ જોવા મળશે. તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનીને દરેક ઘરમાં તેની પૂજા કરવામાં આવે છે. તુલસી માત્ર ઔષધીય ગુણોથી ભરપૂર નથી. પરંતુ તેમાં દેવી શક્તિ પણ સમાયેલી છે. જે ઘરમાં આ છોડ જોવા મળે છે ત્યાં ધન, સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર રહે છે. આ છોડની દેખરેખ માટે જ્યોતિષમાં વિશેષ નિયમો બતાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર રહે છે સાથે દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થઇને અને તેમના આશીર્વાદ આપે છે. તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં પ્રગતિ થાય, સકારાત્મક ઉર્જાનો વાસ થાય તો કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જે અનુસાર, તુલસીને જળ અર્પિત કરવાથી ખૂબ જ લાભ થાય છે. તો આવો જાણીએ આ વિશે જ્યોતિષ શાસ્ત્રી અનુસાર,
1. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સ્નાન કર્યા વિના અને કંઈક ખાધા પછી તુલસીને જળ ચઢાવવાથી તે નારાજ થાય છે. જેના કારણે તમારા ઘરમાં દુ:ખ અને દરિદ્રતા આવે છે.
2. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે તુલસીને જળ અર્પણ કરો ત્યારે એવા કપડા ન પહેરો જે સિવેલા હોય. એટલે કે સિલાઇ વગરના કપડા પહેરીને જ તુલસીમાં જળ ચઢાવવું જોઈએ.
3. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભૂલથી પણ રવિવાર અને બુધવારે તુલસી માતાને જળ ચઢાવવું જોઈએ નહીં. કહેવાય છે કે, આ દિવસે દેવી તુલસી આરામ કરે છે. આ દિવસે જળ અર્પણ કરવાથી તેઓ નારાજ થઈ શકે છે.
4. કહેવાય છે કે એકાદશીના દિવસે પણ તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ. કારણ કે એકાદશીના દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુની ભક્તિ માટે નિર્જલ ઉપવાસ રાખે છે.
આ વાતોનું ધ્યાન રાખો
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir