બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Priyakant
Last Updated: 11:08 AM, 24 March 2024
Pakistan Foreign Minister Statement : ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધો સારા નથી. લાંબા રાજકીય ઉથલપાથલ બાદ નવી સરકારની રચના કરવામાં આવી છે અને તેઓ તેમના પાડોશી સાથે 'સારા સંબંધો' જાળવી રાખવા માંગે છે. વાત જાણે એમ છે કે, શાહબાઝ સરકારના વિદેશ મંત્રી ઈશાક ડારે પણ કહ્યું કે, પાકિસ્તાનનો વેપારી સમુદાય ભારત સાથે વેપાર શરૂ કરવા માંગે છે. આ સાથે તેમણે કહ્યું કે, પડોશી બદલી શકાય નહીં.
પાકિસ્તાનની શાહબાઝ સરકારના વિદેશ મંત્રી ઈશાક ડારે લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અહીં તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે 'જે પણ થયું તે ખોટું હતું.' ઇશાક ડારે કહ્યું કે, અમને ઓગસ્ટ 2019ની ભારતીય કાર્યવાહી પર ખેદ છે, પરંતુ પાકિસ્તાનનો વેપારી સમુદાય ભારત સાથે વેપાર પુનઃસ્થાપિત કરવા માંગે છે. આ સંબંધમાં વાતચીત કરવામાં આવશે અને તમામ પ્રસ્તાવોની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, બજેટ પહેલા પણ આ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. સિંગાપોર દ્વારા વેપાર કરવો મુશ્કેલ છે. પરિવહન ખર્ચ વધારાનો છે અને તેથી આ અંગે એક બેઠક યોજવામાં આવશે અને તે જોવામાં આવશે કે અર્થતંત્રને વેગ આપવા માટે વેપાર સાથે શું કરી શકાય. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, હું અત્યારે હા કે નામાં જવાબ આપી શકતો નથી, કારણ કે પરામર્શની જરૂર છે.
વધુ વાંચો: પાપુઆ ન્યૂ ગિનીમાં વહેલી સવારે ધ્રૂજી ધરતી, 6.9 તીવ્રતાના આંચકાથી લોકો જાગી ગયા
નોંધનીય છે કે, પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં ગોટાળાના આક્ષેપો પણ થયા હતા. તમામ સંઘર્ષ બાદ શાહબાઝ શરીફ વડાપ્રધાન બન્યા. તેમણે પોતાના ભાષણમાં તમામ પડોશી દેશો સાથે સારા સંબંધો સ્થાપિત કરવાની વાત કરી હતી. તેમણે ભારત સાથેના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો અને ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ કરવાનો વિરોધ કર્યો હતો. 2019ના પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા હતા. બંને દેશો વચ્ચે વાતચીત બંધ છે અને વેપાર લગભગ સ્થગિત છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનામાં ગંભીર આર્થિક સંકટ જોવા મળી રહ્યું છે. જોકે નવી સરકારની રચના બાદ સ્થિતિ સ્થિર થવાની આશા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir