બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Parth
Last Updated: 02:11 PM, 3 September 2021
અફઘાનિસ્તાનમાં હવે ખૂંખાર આતંકવાદી તાલિબાનો રાજ કરશે, અમેરિકાએ દેશ છોડી દીધા બાદ હવે તાલિબાનનાં હાથમાં છૂટો દોર મળી ગયો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન હવે આધિકારિક રીતે સત્તાનું એલાન કરવાની તૈયારીમાં છે. સૂત્રો અનુસાર શેર મહોમ્મદ અબ્બાસ અને મુલ્લા યાકુબને મોટી જવાબદારી આપવામાં આવી શકે છે અને તાલિબાન સરકારનું નેતૃત્વ મુલ્લા બરાદર કરી શકે છે.
બંધારણ પણ બદલી નાંખસે તાલિબાન
તાલિબાનને લગતી એક તાજા રિપોર્ટ અનુસાર તાલિબાન પૂર્વ સંસ્થાપક મુલ્લા ઉમરનાં દીકરા મુલ્લા મહોમ્મદ યાકુબ અને શેર મહોમ્મદ અબ્બાસ સ્ટેનકજઈને સરકારમાં મોટું પદ અપાઈ શકે છે. સૂત્રો અનુસાર તાલિબાન હવે દેશનું બંધારણ જ બદલી નાંખશે કારણ કે તાલિબાન માને છે કે અત્યારનાં બંધારણનાં કારણે જ અફઘાનિસ્તાન વિદેશોને આધીન દેશ બની ગયો છે.
તાલિબાની સરકારમાં કોને કોને સ્થાન અપાશે?
નોંધનીય છે કે તાલિબાન પોતાની નવી સરકારનાં ગઠન માટે ખૂબ ઉતાવળમાં છે. ચાર દિવસથી તાલિબાની નેતાઓ અંદરોઅંદર મીટિંગ પર મીટિંગ કરી રહ્યા છે. તાલિબાનની નવી સરકારમાં તાલિબાન સિવાયનાં પક્ષને સામેલ કરવામાં આવે કે નહીં તેના પર હજુ અસમંજસતા દેખાઈ રહી છે. આ સિવાય નોર્ધન અલાયન્સને તાલિબાન સત્તામાં સ્થાન આપે છે કે નહીં તે પણ જોવાનું રહેશે. નોંધનીય છે કે નોર્ધન અલાયન્સને સરકારમાં સરખી ભાગીદારી જોઈએ છે.
કોણ છે મુલ્લા બરાદર
નોંધનીય છે કે બરાદર દાયકાઓથી તાલિબાનનો સૌથી ખૂંખાર નેતા છે. વર્ષ 1978માં જ્યારે સોવિયેતની સામે તાલિબાને ગોરિલ્લા વોરમાં બરાદર સક્રિય હતો. બરાદરે મુલ્લા ઉમર સાથે મળીને ઠેર ઠેર મદરેસા બનાવ્યા અને તેમાં તાલિબાન માટે લડાકૂઓ તૈયાર કર્યા. 1996માં જ્યારે તાલિબાનની સરકાર બની ત્યારે પણ બરાદરનો મોટો હાથ હતો. વર્ષ 2001માં અમેરિકાનાં હુમલા બાદ બરાદર અફઘાનિસ્તાનથી ભાગ્યો અને 2010માં બરાદરની કરાંચીમાથી ધરપકડ કરી લેવામાં આવી. વર્ષ 2018માં બરાદરને ફરીથી છોડી દેવામાં આવ્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir