બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Monsoon Session : Both Houses Adjourned, AAP MP Sanjay Singh Suspended
Hiralal
Last Updated: 04:15 PM, 24 July 2023
સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. લોકસભા અને રાજ્યસભા બંનેમાં સંઘર્ષની સ્થિતિ છે. વિપક્ષ મણિપુર હિંસા મામલે પ્રધાનમંત્રી મોદીના સંસદમાં નિવેદનની માગ પર અડગ છે, સોમવારે પણ લોકસભા કે રાજ્યસભામાં કોઈ કામ થઈ શક્યું ન હતું. લોકસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે સરકાર મણિપુર પર ચર્ચા માટે તૈયાર છે. શાહે કહ્યું કે 'મને ખબર નથી કે વિપક્ષ ચર્ચા કેમ નથી ઈચ્છતો'. હંગામો બંધ ન થતાં લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
#WATCH | I am ready for discussion on this in the House. I request the Opposition to let a discussion take place on this issue. It is important that the country gets to know the truth on this sensitive matter: Union Home Minister Amit Shah on the Manipur issue, in Lok Sabha pic.twitter.com/GalcO32XUR
— ANI (@ANI) July 24, 2023
રાજ્યસભામાં આપ સાંસદ સંજયસિંહ બરખાસ્ત
રાજ્યસભામાં પણ અધ્યક્ષ જગદીપ ધનખરે કડક વલણ અપનાવ્યું હતું. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ગૃહ દ્વારા સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરએસમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સિંહના સસ્પેન્શનનો પ્રસ્તાવ મૂક્યો હતો. સિંહ રાજ્યસભામાં સતત સૂત્રોચ્ચાર અને હંગામો કરી રહ્યા હતા.
#WATCH | I am ready for discussion on this in the House. I request the Opposition to let a discussion take place on this issue. It is important that the country gets to know the truth on this sensitive matter: Union Home Minister Amit Shah on the Manipur issue, in Lok Sabha pic.twitter.com/GalcO32XUR
— ANI (@ANI) July 24, 2023
શું છે વિપક્ષની માગ
વિપક્ષ મણિપુરમાં જાતિ હિંસા અંગે સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ પર અડગ છે. તેમને પીએમ મોદીના નિવેદનથી ઓછું કંઈ ખપતું નથી.
ચર્ચા થવા દો, અમિત શાહે વિપક્ષને કરી અપીલ
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં વિપક્ષી સાંસદોને ગૃહને કામકાજ કરવા દેવાની અપીલ કરી હતી. સરકાર મણિપુર પર ચર્ચા કરવા તૈયાર છે તેમ જણાવતા શાહે કહ્યું કે તે (મણિપુર) એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જો કે આ પછી પણ હોબાળો અટક્યો ન હતો. લોકસભા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી દીધી.
#WATCH | Government is ready for discussion on Manipur. Request Opposition to let discussion take place, says Union Home Minister Amit Shah in Lok Sabha. pic.twitter.com/rjHLzOcKu7
— ANI (@ANI) July 24, 2023
સરકાર ચર્ચા માટે તૈયાર છે, તો પછી વિપક્ષ સંસદ કેમ ચાલવા નથી દેતો'
બીજેપી સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું, 'અમે મણિપુર પર ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ તેની સાથે જ મેં બિહારમાં થયેલા લાઠીચાર્જ, બંગાળમાં થયેલી હિંસા પર ચર્ચા માટે નોટિસ આપી હતી અને સ્પીકરે તેનો સ્વીકાર કર્યો હતો. આજે AAP સાંસદ સંજય સિંહે જે રીતે હંગામો શરૂ કર્યો કે ગૃહમાં તેમને બહાર કરવાની ફરજ પડી. જ્યારે સરકાર ચર્ચા માટે તૈયાર છે, તો પછી તેઓ (વિપક્ષ) ગૃહને કેમ ચાલવા દેતા નથી.
Lok Sabha, Rajya Sabha face adjournments amid opposition demands on Manipur situation
— ANI Digital (@ani_digital) July 24, 2023
Read @ANI Story | https://t.co/2TGfaIFBNB#Parliament #MonsoonSession #LokSabha #RajyaSabha #Manipur pic.twitter.com/QyPHdQLu3U
રાજનાથે ખરગેને ફોન કર્યો
સંસદના ચોમાસાના સત્રની શરુઆતમાં જ ધબડકો થયો છે વિપક્ષ મણિપુર મામલે પીએમ મોદીના નિવેદનની માગ કરી રહ્યો છે પરંતુ અમિત શાહે કહ્યું છે કે સરકાર ચર્ચા કરવા તૈયાર છે. આ દરમિયાન મડાગાંઠ ઉકેલવા માટે રાજનાથ સિંહ કોંગ્રેસ અધ્યક્ષ ખરેગેને ફોન કર્યો હતો અને તેમને સંસદની કાર્યવાહી ચાલવા દેવાની અપીલ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir