બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / બિઝનેસ / modi govt may increase interest rate for kisan vikas patra ppf nsc sukanya samriddhi yojana
Arohi
Last Updated: 05:08 PM, 25 May 2022
જો તમે પણ સુકન્યા સમૃદ્ધિ યોજના અથવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણ કરો છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. સરકાર ટૂંક સમયમાં SSY અને PPFના વ્યાજ દરમાં ફેરફાર કરી શકે છે. જો આમ થશે તો સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરનારાઓને સીધો ફાયદો મળશે.
બેંકો FD અને RD પર વધશે વ્યાજ
સૂત્રોના જણાવ્યા અનુસાર વધતી જતી મોંઘવારીને જોતા સરકારી બચત યોજનાઓ પર વ્યાજ વર્તમાન દર કરતા વધારે હોઈ શકે છે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારા બાદ વિવિધ બેંકો દ્વારા એફડી અને આરડીના વ્યાજ દરમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સરકારી બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં પણ વધારો થવાની આશા છે.
30 જૂને થશે વ્યાજ દરોને લઈને સમીક્ષા
તમને જણાવી દઈએ કે 30 જૂને સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરોની સમીક્ષા થવાની છે. આ સમીક્ષા જુલાઈથી સપ્ટેમ્બર 2022ના ત્રિમાસિક ગાળા માટે થવાની છે. આ વખતે સરકાર તરફથી આ બચત યોજનાઓ પર વ્યાજ દર વધવાની આશા છે. સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરમાં લાંબા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં મોંઘવારીને જોતા તેમના પર વ્યાજ વધારી શકાય છે.
શા માટે વ્યાજ દરમાં ફેરફાર થવાની શક્યતા છે?
બેંક અને રિઝર્વ બેંક બંને નાની બચત યોજનાઓ પર વ્યાજ વધારવાના પક્ષમાં છે. આરબીઆઈના ગવર્નરે થોડા દિવસો પહેલા સંકેત આપ્યો હતો કે મોંઘવારી પર અંકુશ લાવવા માટે રેપો રેટ ભવિષ્યમાં વધારી શકાય છે. લોનના વ્યાજ દરમાં વધારા સાથે, એવી સંભાવના છે કે પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજના પરના વળતરમાં પણ વધારો થશે.
દર ત્રણ મહિને કરવામાં આવે છે વ્યાજ દરોમાં સુધારો
સરકાર દ્વારા દર ત્રણ મહિને નાની બચત યોજનાઓ પરના વ્યાજની સમીક્ષા કરવામાં આવે છે. આ સમીક્ષા દરમિયાન, વ્યાજ દર વધારવો, ઘટાડવો કે સ્થિર રાખવો તે અંગે નિર્ણય લેવામાં આવે છે. આ વ્યાજ દરો નાણા મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે.
કઈ બચત યોજના પર કેટલું વ્યાજ
હાલમાં, PPF પર વાર્ષિક 7.1%ના દરે વ્યાજ મળે છે. ત્યાં જ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારાઓને 7.6% વાર્ષિક વળતર આપવામાં આવે છે. ત્યાં જ નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ વિશે વાત કરવામાં આવે તો તેમાં 5.8% વળતર છે. કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર 6.9 ટકા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ