બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / mangalsutra ka tootna and sindoor ki dibbi ka girna is sign of trouble

ધ્યાન રાખજો / ખરાબ સમય આવતા પહેલા મળી જાય છે સંકેત, આટલી વાતોને ક્યારેય ઇગ્નોર ન કરતાં, નહીં તો પસ્તાશો

Premal

Last Updated: 06:59 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાત બાદ દિવસ આવે છે અને આ રીતે દુ:ખ બાદ સુખની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે ખરાબ સમય આવતા પહેલા ભગવાન અમુક સંકેત આપે છે, જે તેને સમજી લે છે, તે માણસને સંતર્ક રહેવાની તક મળી જાય છે.

  • ખરાબ સમય આવતા પહેલા મળવા લાગે છે આ સંકેત
  • આ સંકેતની ભૂલથી પણ અવગણના ના કરતા
  • થઇ જજો સંતર્ક, તો વધુ નુકસાન નહીં થાય 

આ સંકેતોને ક્યારેય નજરઅંદાજ ના કરવા જોઈએ

શકુન શાસ્ત્રમાં અંગો ફરકતા હોય તેનો અલગ-અલગ શુભ અને અશુભ સંકેત જણાવવામાં આવ્યાં છે. માનવામાં આવે છે કે જ્યારે થોડો ખરાબ સમય આવવાનો હોય છે ત્યારે તેના સંકેત વ્યક્તિને મળવા લાગે છે, જે લોકો તેને જાણીને પણ તેની અવગણના કરે છે, તેઓ કષ્ટ અને દુ:ખ ઉઠાવે છે. તેથી આ સંકેતોને ક્યારેય નજરઅંદાજ ના કરવા જોઈએ. અહીં અમે અમુક એવા સંકેતો અંગે જણાવવા જઇ રહ્યાં છે, જે મળ્યાં બાદ માણસે એલર્ટ થઇ જવુ જોઈએ.

મગંળસૂત્ર અચાનક તુટી જવુ 

શકુન સંકેત મુજબ જો કોઈ મહિલાનું મગંળસૂત્ર અચાનક તુટી જાય છે તો પતિના જીવન પર આવનારા જોખમનુ સંકેત હોઇ શકે છે. આ સ્થિતિમાં પત્નીને પતિની રક્ષા અને લાંબી ઉંમર માટે તુલસીની પૂજા કરવી જોઈએ. 

પૂજા કરતી સમયે થાળી પડી જવી 

જો પૂજા કરતી વખતે પૂજાની થાળી પડી જાય તો તેને સારો સંકેત માનવામાં આવ્યો નથી. એવી માન્યતા છે કે પૂજાની થાળી પડવી આ વાતનો પણ સંકેત હોઇ શકે છે કે તમારાથી દેવગણ નારાજ છે. તેથી પૂજાના નિયમોનુ યોગ્ય રીતે પાલન કરવુ જોઈએ. આ સાથે જીવનમાં નિયમ અને અનુશાસનને પણ અપનાવવા જોઈએ. 

સિંદૂરની ડબ્બી હાથમાંથી પડી જવી 

જો સિંદૂર લગાવતી સમયે કોઈ સુહાગન સ્ત્રીના હાથમાંથી સિંદૂરની ડબ્બી હાથમાંથી પડી જાય તો તેને શુભ સંકેત માનવામાં આવતો નથી. માનવામાં આવે છે કે આ પતિના વ્યાપાર અથવા નોકરીમાં પરેશાની આવવાનો સંકેત હોઇ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ