બ્રેકિંગ ન્યુઝ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
VTV / ગુજરાત / અમદાવાદ / Mandal Andhapa Kand: Eye Specialist said this infection can lead to blindliness
Vaidehi
Last Updated: 06:55 PM, 18 January 2024
અમદાવાદના માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં આંખની સારવાર કરાવ્યા બાદ અચાનક જ દર્દીઓને અંધાપાની અસર થતા પીડિત દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગનાં અધિકનિયામક દ્વારા તબીબો અને અધિકારીઓને સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ નવી સુચના ન મળે ત્યાં સુધી ઓપરેશન નહી કરવાની સૂચના આપી હતી. આંખનાં ઓપરેશન બાદ 5 દર્દીઓને અંધાપાની અસર જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલનાં આંખ વિભાગમાં 5 દર્દીઓ સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાં ત્રણ મહિલા અને બે પુરૂષ દર્દીઓ (ઉ.વર્ષ.50) થી વધુ હોવાનું સામે આવ્યું છે.
ગઈકાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે, માંડલની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીએ 29 ઓપરેશન થયા હતા, જે 29 માંથી 17 દર્દી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે. 13 જાન્યુઆરીથી તકલીફ થતાં 15 અને 16 તારીખે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.
આંખ સ્પેશિયાલિસ્ટે આપી માહિતી
VTV સાથેની વાતચીત દરમિયાન EYE SPECIALIST ડૉ.પાર્થ રાણાએ જણાવ્યું કે સ્યુડોમોનાસ એરૂજીનોસા ઈન્ફેક્શનએ ગંભીર ચેપ છે. ઓપરેશન બાદ ઘણા સમય પછી પણ આ ઈન્ફેક્શન થઈ શકે છે. તેમણે કહ્યું કે આ પ્રકારના ગંભીર ચેપથી આંખની રોશની પણ જઈ શકે.
ઈન્ફેક્શન થવા પાછળ કારણ શું?
ડૉ.પાર્થ રાણાએ જણાવ્યું કે "ઈન્ફેક્શનનું કારણ દવા કે સાફ સફાઈમાં અચોક્કસાઈ હોઈ શકે એટલું જ નહીં અન્ય દર્દીનું ઈન્ફેક્શન પણ ચેપ લાગવા માટે જવાબદાર હોઈ શકે " તેમણે કહ્યું કે ઓપરેશન પછી દર્દીને જે દવા આપવામાં આવતી હોય જો તે ખોટી હોય તો આવું કંઈ થઈ શકે છે. તેથી જ ડોક્ટર્સ હંમેશા દર્દીને ચેતવણી આપતાં કહેતાં હોય છે કે જો ઓપરેશન બાદ તમારી આંખ લાલ થાય અથવા દુખાવો થાય, જોવામાં તકલીફ પડતી હોય તો તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચવું જોઈએ. જો દર્દી સમયસર સારવાર કરે તો ડોક્ટર્સ પેશન્ટનું વિઝન બચાવી શકે છે.
વધુ વાંચો: વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ધટના, બોટ પલટી જતા એક વિદ્યાર્થીનું મોત, 5 લાપતા, જુઓ શું બન્યું?
કમિટીનો રિપોર્ટ જ્યારે સામે આવશે ત્યારે ખબર પડશે કે ક્યા સેમ્પલનાં લીધે તેમની આંખમાં ઈન્ફેક્શન થયું છે. શક્ય છે કે વેઈટિંગ રૂમમાં બેઠેલા અન્ય દર્દીઓ સાથે બેસીને પણ આ ઈન્ફેકશન દર્દીને લાગ્યું હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ