બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 02:51 PM, 7 March 2024
હિંદૂ શાસ્ત્રો અનુસાર ફાગળ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવશે. આ વખતે 8 માર્ચ શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે. શિવ ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે વ્રત કરવાની સાથે વિધિવિધાનથી પૂજા કરવી પણ શુભ અને ફયદાયી માનવામાં આવે છે.
બની રહ્યા છે શુભ યોગ
આ વખતે મહાશિવરાત્રીના ખાસ અવસર પર ઘણા શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. એવામાં આ શુભ યોગમાં કરવામાં આવેલા ઉપાય વધારે કારગર સાબિત થાય છે. જણાવી દઈએ કે મહાશિવરાત્રીના દિવસે શિવ યોગ, સિદ્ધ યોગ, ગજકેસરી યોગ, ધન યોગ અને સર્વાર્થ સિદ્ધિ જેવા શુભ યોગ બની રહ્યા છે.
જેનાથી આ દિવસનું મહત્વ વધારે વધી જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ શુભ યોગોમાં અમુક ખાસ ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. આ ઉપાયોને કરવાથી બધા કષ્ટ દૂર થાય છે અને કુંડળીમાં ગ્રહ નક્ષત્રની સ્થિતિ મજબૂત થાય છે.
સમૃદ્ધિ પ્રાપ્તિના ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રી પર શિવ મંદિર જાઓ અને વિધિ વિધાનની સાથે પૂજા-અર્ચના કરી ઘીનો દિવો કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક કથા અનુસાર કુબેર દેવને પોતાના ગયા જન્મમાં રાતના સમયે જ શિવલિંગની પાસે જઈને રોશની કરી હતી માટે દેવતાઓના કોષાધ્યક્ષ બની ગયા હતા. આ ઉપાય કરવાથી વ્યક્તિને ધન સંબંધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રીનો દિવસ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે બિલિના ઝાડની નીચે ઉભા રહીને ખીર અને ગાયના ઘીનું દાન કરવું ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન શિવની સાથે મહાલક્ષ્મીની પણ ખાસ કૃપા પ્રાપ્ત થાય છે અને ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થાય છે.
પાપોમાંથી મુક્તિ માટે
જણાવી દઈએ કે મહાશિવરાત્રીનો દિવસ પાપોમાંથી મુક્તિ મળવવા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ગરીબ અને જરૂરીયાતમંદ વ્યક્તિને ધન અને અનાજનું દાન કરવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે દાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન શિવની કૃપાથી વ્યક્તિ જન્મ મરણના બંધમાંથી મુક્ત થઈ જાય છે.
દરિદ્રતાથી છુટકારો મેળવવા માટે
મહાશિવરાત્રીની રાત્રે ઘર પર એક નાનું શિવલિંગ લગાવો અને વિધિ વિધાનથી તેનો અભિષેક કરો. સાચ્ચા મનથી શિવ આરાધના કર્યા બાદ 108 વખત ओम नमः शिवाय મંત્રનો જાપ કરો. તેનાથી દુઃખ દરિદ્રતા દૂર થાય છે અને કરિયરમાં ઉન્નતિના શુભ સંયોગ બને છે. ભગવાન શિવની કૃપાથી નોકરી અને બિઝનેસમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
વધુ વાંચો: મહાશિવરાત્રીના ઉપવાસમાં ચા કે કોફી પી શકાય કે નહીં? જાણૉ શું છે માન્યતા
સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રી પર ભગવાન શિવને તલ અને જવ અર્પિત કરો. સાથે જ 21 બિલિ પત્ર પર ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગ પર સ્થાપિત કરો. તેના બાદ નંદીને લીલુ ઘાંસ ખવાડો. આમ કરવાથી વ્યક્તિની બધી ઈચ્છાઓ પુરી થઈ જાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ ઉપાયને કરવાથી પાપ અને મુશ્કેલીઓનો અંત આવે છે અને સુખમાં વૃદ્ધિ થાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir