બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Premal
Last Updated: 09:51 AM, 15 February 2023
મહાશિવરાત્રિએ મહાદેવની પૂજામાં કઈ વસ્તુઓ અર્પણ કરવી?
હિન્દુ ધર્મમાં ભગવાન શિવ સૌથી જલ્દી પ્રસન્ન થતા દેવોમાંથી એક છે. આ જ કારણ છે તેમના ભક્તો તેમને ભોલેભંડારી કહીને બોલાવે છે. દેવોના દેવ કહેવાતા મહાદેવની પૂજા માટે મહાશિવરાત્રિનુ મહાપર્વ સૌથી વધુ શુભ અને ફળદાયી માનવામાં આવ્યું છે. માન્યતા છે કે આ પાવન રાત્રિએ ભગવાન શિવની પૂરી કૃપા રહે છે. માન્યતા છે કે જો મહાશિવરાત્રિએ મહાદેવની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે અને પૂજામાં ભગવાન શિવની પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે તો ભક્તની બધી મનોકામનાઓ જલ્દી પૂરી થાય છે. જાણો, મહાદેવની માળા સહિત બીજી વસ્તુઓ ચઢાવવાથી આખરે શું મળે છે ફળ?
રૂદ્રાક્ષ
મહાદેવની માળા કહેવાતા રૂદ્રાક્ષને ભગવાન શિવનો મહાપ્રસાદ માનવામાં આવે છે. માન્યતા છે કે રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુઓમાંથી થઇ છે. જેને મહાશિવરાત્રિની પૂજામાં અર્પણ કરવા અને પ્રસાદી તરીકે ધારણ કરતા વ્યક્તિના બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. અલગ-અલગ આકારવાળા રૂદ્રાક્ષનો સંબંધ માત્ર અન્ય દેવી દેવતાઓ સાથે નહીં, પરંતુ નવગ્રહો સાથે પણ હોય છે. શિવપૂજામાં પ્રયોગ કરવાથી શિવ સાથે તેમનો પણ આશીર્વાદ મળે છે.
બિલી પત્ર
શિવ ભગવાનને બિલી પત્ર અત્યંત પ્રિય છે. માન્યતા છે કે શિવ પૂજામાં તેને ચઢાવવાથી શિવના ભક્તોને તેમનો તરત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સનાતન પરંપરામાં બિલીપત્રના ત્રણ પાનમાંથી એકને રજ, બીજાને સત્વ અને ત્રીજાને તમોગુણનુ પ્રતિક માનવામાં આવ્યું છે. એવામાં બિલીપત્ર અર્પણ કરવાથી મહાદેવની કૃપાથી સાધકને બધા પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે.
ભસ્મ
ભગવાન શિવની પૂજામાં ભસ્મનુ ઘણુ વધારે ધાર્મિક મહત્વ છે. ભસ્મને શિવનુ વસ્ત્ર માનવામાં આવ્યું છે, જેને તેઓ પોતાના આખા શરીર પર લગાવે છે. માન્યતા છે કે સૃષ્ટિના અંતમાં આ રાખના રૂપમાં પરિવર્તિત થાય છે. જેને મહાદેવ પોતાના શરીરમાં ધારણ કરતા રહે છે. કહેવાનો અર્થ એ છે કે એક દિવસ આખી સૃષ્ટિ ભગવાન શિવમાં રાખ સ્વરૂપે વિલીન થાય છે. માન્યતા છે કે મહાશિવરાત્રિએ ભગવાન શિવને ભસ્મ ચઢાવવાથી વ્યક્તિના બધા પાપનો નાશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ