બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ધર્મ / mahashivratri 2022 when is falgun month mahashivratri know date tithi puja muhurat and pujan vidhi
Premal
Last Updated: 01:57 PM, 9 February 2022
કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે છે મહાશિવરાત્રી
મહાશિવરાત્રી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે વિધિ-વિધાનની સાથે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી મનપસંદ વરની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી સૌભાગ્યમાં વધારો થાય છે. આ સાથે એવુ પણ મનાય છે કે આ દિવસે શિવજીનો રૂદ્રાભિષેક કરવાથી જીવનના દરેક દુ:ખોમાંથી છૂટકારો મળે છે. આ દિવસે ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ મહાશિવરાત્રીની તિથિ, શુભ મૂહૂર્ત અને પૂજન વિધિ અંગે.
મહાશિવરાત્રી 2022 તિથિ
હિન્દુ પંચાગ મુજબ વર્ષ 2022માં મહાશિવરાત્રિ 1 માર્ચ, મંગળવારે સવારે 3.16 મિનિટથી શરૂ થઇને અને ચતુર્દશી તિથિનું સમાપન 2 માર્ચ, બુધવારે સવારે 10 વાગ્યે થશે.
મહાશિવરાત્રી પૂજાનું શુભમૂહુર્ત
મહાશિવરાત્રીના પહેલા પ્રહરની પૂજા- 1 માર્ચ, 2022 રાત્રે 6.21 મિનિટથી રાત્રે 9.27 મિનિટ સુધી છે.
આ દિવસે બીજા પ્રહરની પૂજા- 1 માર્ચ રાત્રે 9.27 મિનિટથી રાત્રે 12.33 મિનિટ સુધી રહેશે.
ત્રીજા પ્રહરની પૂજા- 1 માર્ચ રાત્રે 12.33 મિનિટથી સવારે 3.39 મિનિટ સુધી રહેશે.
ચોથા પ્રહરની પૂજા- 2 માર્ચ સવારે 3.39 મિનિટથી 6.45 મિનિટ સુધી છે.
પારણા સમય- 2 માર્ચ બુધવાર 6.45 મિનિટ બાદ.
મહાશિવરાત્રી પૂજા વિધિ
ફાગણ માસમાં આવતી મહાશિવરાત્રી વર્ષની સૌથી મોટી શિવરાત્રીમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે બહ્મ મૂહુર્તમાં સ્નાન કર્યા બાદ ઘરના પૂજા સ્થળે પાણીથી ભરેલા કળશની સ્થાપના કરો. ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિની સ્થાપના કરો. પછી અક્ષત, પાન, સોપારી, ચંદન, લવિંગ, ઈલાયચી, દૂધ, દહી, મધ, ઘી, ધતૂરો, બિલિપત્ર, કમળનુ ફૂલ વગેરે ભગવાનને અર્પણ કરો. પૂજન કરો અને છેલ્લે અંતમાં આરતી કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir