બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / સ્પોર્ટસ / Cricket / lok sabha election 2024 five reasons that force bjp mp gautam gambhir retirement from politics
Arohi
Last Updated: 03:05 PM, 2 March 2024
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા દિલ્હીમાં બીજેપીના મજબૂત પ્લેયર રિટાયર્ડ હર્ટ થઈ ગયા છે. પૂર્વ દિલ્હી સંસદીય ક્ષેત્રથી બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે પોતાની રાજનૈતિક ઈનિંગથી લગભગ બ્રેક લઈ લીધો છે. ગૌતમ ગંભીરે શનિવારે ટ્વીટ કરી પાર્ટી પાસે પોતાને રાજનૈતિક કર્તવ્યોથી મુક્ત કરાવવાની અપીલ કરી છે. જેપી નડ્ડાને સંબોધિત કરતા ગંઙીરે ટ્વીટમાં પોતાના ક્રિકેટની કમિટમેન્ટનો હવાલો આપ્યો છે.
I have requested Hon’ble Party President @JPNadda ji to relieve me of my political duties so that I can focus on my upcoming cricket commitments. I sincerely thank Hon’ble PM @narendramodi ji and Hon’ble HM @AmitShah ji for giving me the opportunity to serve the people. Jai Hind!
— Gautam Gambhir (@GautamGambhir) March 2, 2024
માનવામાં આવી રહ્યું છે કે આ ગૌતમ ગંભીરની રાજનૈકતિક ઈનિંગનો અંત છે. એવામાં સવાલ ઉઠી રહ્યો છે કે આ દેશમાં થવા જઈ રહેલી હાઈફીવર ચૂંટણી પહેલા આખકે ગૌતમ ગંભીર કેમ રિટાયર્ડ હર્ટ થઈ ગયા. જાણો તેના પાછળ કયા કયા કારણો હોઈ શકે છે.
ટિકિટ કપાઈ હોવાની શંકા
દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ચૂંટણી ગઠબંધન થઈ ચુક્યું છે. એવામાં બીજેપીને હાલ પાર્ટી સાથે મુકાત કરવા અને નવી રીતે રાજનીતિ કરવાની જરૂર છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી આ વખતે જુના ચહેરા પર દાવ લગાવવાના મૂડમાં નથી. બીજેપીની દિલ્હી ઓફિસની ચૂંટણી સિમિતિએ દિલ્હીની 7 લોકસભા સીટો માટે પાર્ટી નેતૃત્ને 25-30 સંભવિત ઉમેદવારોની સૂચી સોંપી છે.
પાર્ટી સૂત્રોનું કહેવું છે કે નવી દિલ્હી લોકસભા સીટ માટે વર્તમાન સાંસદ મીનાક્ષી લેખીના ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકર, આવાસ અને શહેરી કાર્ય મંત્રી હરદીપ સિંહ પુરી અને દિવંગત નેતા સુષ્મા સ્વરાજની દિકરી બાંસુરી સ્વરાજના નામ સંભવિત ઉમેદવારોમાં છે.
ક્રિકેટ કમિટમેન્ટ હોઈ શકે છે કારણ
સાંસદ બન્યા બાદ પણ ગૌતમ ગંભીરે ક્રિકેટ નથી છોડ્યું. તે પછી આઈપીએલ હોય કે પછી ક્રિકેટ કમેન્ટરી કે પછી ક્રિકેટ કોચિંગ. ગંભીર પોતાના સંસદીય ક્ષેત્રથી વધારે રમતના મેદાન કે કમેન્ટરી બોક્સમાં જોવા મળે છે. આ વર્ષે આઈપીએલની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. તેજ સમયે આઈપીએલનું પણ આયોજન છે. એવામાં તે પોતાનું ધ્યાન સંપૂર્ણ રીતે તેમાં લગાવવા માંગતા હોઈ શકે છે.
તૂ-તૂ મેં-મેંની રાજનીતિથી કિનારો
ગૌતમ ગંભીરે વર્ષ 2019માં પૂર્વ દિલ્હીથી મોટા અંતરે ચૂંટણી જીતી હતી. ગંભીરે કોંગ્રેસના અરવિંદ સિંહ લવલીની સાથે જ આમ આદમી પાર્ટીની નેતા અને હાલના મંત્રી આતિશીને હરાવ્યા હતા. ગંભીરને પોતાના હરીફો કરતા લગભગ ડબલ વોટ મળ્યા હતા. ગંભીરે કોંગ્રેસના લવલીને લગભગ 1.50 લાખ મતોથી હરાવ્યો. ત્યાં જ આપ નેતા આતિશીને ફક્ત 18 ટકા વોટ મળ્યા હતા.
ચૂંટણી જીતવાની સાથે જ ગંભીરે રાજનેતાઓની ભાષા બોલવાની શરૂ કરી દીધી હતી. ગંભીરે જીત બાદ પોતાના પહેલા ટ્વીટમાં લખ્યુ હતું. ન તો આ 'લવલી' કવર ડ્રાઈવ છે અને ન 'આતિશી' બેટિંગ છે. આ ફક્ત ભાજપની 'ગંભીર' વિચારધાર છે. જેનું લોકોએ સમર્થન કર્યું છે. આ જનાદેશને મેળવવા માટે બીજેપી અને દિલ્હી બીજેપી ટીમના બધા સાથીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. ગંભીરનો મિજાજ છે કે તે તૂ-તૂ મેં-મેંની રાજનીતિમાં નથી પડવા માંગતા. એવામાં તે આનાથી કિનારો કરવા માંગતા હશે.
રાજનીતિનો રંગ નહીં ચડી શક્યો હોય
ગૌતમ ગંભીરે વર્ષ 2018માં ક્રિકેટથી સન્યાસ લઈ લીધો હતો. 2019માં ગંભીર ભલે લોકસભા ચૂંટણી જીતી ગયા હોય પરંતુ તેમના પર રાજનીતિનો રંગ સંપૂર્ણ રીતે ક્યારેય ન ચડી શક્યો. રાજનેતા બન્યા બાદ પણ તેમનો મોટાભાગનો સમય રમત સાથે જોડાયેલી એક્ટીવિટીમાં જ જતો. ગંભીર સાંસદ હોવા છતાં દુનિયાના અલગ અલગ ભાગોમાં થતા રિટાયર્ડ ખેલાડીઓની ટી-20 લીગમાં બેટિંગ કરતા જોવા મળતા હતા.
ગંભીરનો મિઝાજ રાજનીતિથી બિલકુલ મેળ નથી ખાતો. રાજનીતિમાં જે પ્રકારે કૂટનીતૈક અને સમજી વિચારીને નિવેદન આપવું પડે છે ગંભીર તેનાથી બિલકુલ અલગ છે. રમતના મેદાન પર ગંભીરનો આક્રામક રૂખ દુનિયાભરના ક્રિકેટ પ્રેમી જોઈ ચુક્યા છે. તેનાથી વિપરીત રાજનીતિમાં આક્રામકતા રાખવી માંઘી પડી શકે છે. એવામાં કહી શકાય કે ગંભીર રાજનીતિમાં ક્યારેય પણ સંપૂર્ણ રીતે ફિટ નથી થયા.
નવા ચહેરાને તક
ગંભીરે જે પ્રકારે ક્રિકેટ પ્રતિબદ્ધતાઓનો હવાલો આપ્યો છે તેના બાદથી ગંભીરના ટ્વીટને લઈને ઘણા પ્રકારની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. પાર્ટી મુખ્યાલયમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિત રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાની બેઠકમાં સંભવિત ઉમેદવારોની યાદી પર ચર્ચા થઈ ચુકી છે.
માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીની તરફથી નવા ચહેરાને તક આપવામાં આવશે. એવામાં સંભવ છે કે પાર્ટીએ તેની સુચના પોતાના હાલના સાંસદને આપી હોય. એક તરફ ક્રિકેટના કમિટમેન્ટ અને બીજી તરફ પાર્ટીની બદલાતી રણનીતિમાં ગંભીરને આ નિર્ણય લેવો પડ્યો હોય.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir