બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ધર્મ / ગુજરાત / Daily Horoscope / અમદાવાદ / Located in Ahmedabad is a 1 thousand year old temple of Mahadev, known as Somnath of Ahmedabad
Vishal Dave
Last Updated: 09:35 AM, 26 March 2024
સોમનાથ દેવાધિદેવ મહાદેવનું એક એવું રૂપ કે જેના દર્શન મનુષ્યના જીવનને શીતળતાથી પરિપૂર્ણ કરી દે છે. અને મહેશ્વરનું એક આવું જ શાંત, સૌમ્ય અને શીતળતા પ્રદાન કરનારું સ્વરૂપ અમદાવાદમાં પણ વિદ્યમાન છે. અમદાવાદના ગ્યાસપુર પાસે સોમનાથ મહાદેવનું એક હજાર વર્ષથી વધારે પ્રાચીન સ્થાનક આવેલુ છે. મંદિરમાં રહેલા ધુણાની રાખથી પશુઓ અને દરેક લોકોને થતા ચામડીના રોગમાંથી મુક્તિ મળે છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં શાહવાડીમાં આવેલું છે આ મંદિર
અમદાવાદમાં નારોલના શાહવાડી વિસ્તારમાં મહેશ્વરનું એક હજાર વર્ષથી વધારે પ્રાચીન અને પ્રસિદ્ધ સ્થાનક આવેલુ છે. જે અમદાવાદના સોમનાથ તરીકે ઓળખાય છે. આશુતોષના આ સોમનાથ સ્વરૂપના દર્શન માત્રથી ભક્તોને ધન્યતાની અનુભૂતિ થાય છે. સોમનાથના દર્શન માત્રથી તેમના ભવ-ભવના પાપોનો નાશ થાય છે........વાસ્તવમાં શ્રદ્ધાળુઓને મન પ્રભાસના સોમનાથ તીર્થ સરીખા જ છે. સોમનાથ મહાદેવના પાવનકારી સ્થાનકનો મહિમા ન માત્ર શ્રાવણ માસ પરંતુ બારેય માસ શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું રહે છે. દરેક સોમવારની સાથે ગુરુવારના દર્શનનું પણ વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના સોમવાર અને મહાશિવરાત્રીના રોજ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર્શનનો લ્હાવો લેવાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે..........
સોમનાથ મંદિરેથી અખંડજ્યોત લાવી અહીં પ્રસ્થાપીત કરેલી છે
એક હજાર વર્ષ પૂર્વે પ્રભાસના સોમનાથ મંદિરેથી અખંડજ્યોત લાવી અહીં પ્રસ્થાપીત કરેલી છે જે આ સ્થાનના મહત્તાની સાક્ષી પૂરે છે. મંદિરમાં ઋષિ મુનીઓની સમાધિ આવેલી છે. લોક વાયકા છે. કે અહિયાં ઋષિ મુનીઓ દ્વારા આ મંદિરમાં તપ કરવામાં આવતુ હતુ.....મંદિરમાં આવેલી ઋષિમુનીઓની સમાધિ દર્શન કરીને ભાવિકો ધન્ય થાય છે. ભક્તોને મન દેવાધિદેવ મહાદેવના દર્શન જેટલો જ મહિમા પાવનકારી જ્યોતના દર્શનનો પણ છે. માન્યતા અનુસાર અહીંના દર્શન શ્રદ્ધાળુઓને સોમનાથ દાદાના દર્શન જેટલા જ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. અને આ સ્થાનકની અખંડતા અને દિવ્યતા પરમશાંતિની અનુભૂતિ કરાવે છે.........
ધુણાની રાખથી પશુઓ અને લોકોને થતા ચામડીના દરેક રોગથી મુક્તિ મળે છે
અમદાવાદના સોમનાથ મહાદેવ પર અભિષેકનું અદકેરુ મહત્વ છે. મંદિરનુ વિશેષ મહત્વ મંદિરમાં હજારો વર્ષોથી ચાલતા ધૂણાનુ છે. ઋષિ મુનીઓ દ્વારા આ જ ધૂણા હવન કરવામાં આવતા હતા મંદિરમાં આવતા ભક્તો વર્ષો જુના ધુણાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ધુણાની રાખથી પશુઓ અને લોકોને થતા ચામડીના દરેક રોગથી મુક્તિ મળે છે....
જેમને ચામડીના રોગ કે કોઈ બિમારી છે તેમની દરેક સમસ્યાના નિવારણ માટે ધૂણાની રાખ અમૃત સમાન માનવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં હજારો વર્ષ જૂનો પીપળો આવેલો છે. ભાવિકો મહાદેવના દર્શન કરી પીપળે જળ ચડાવીને ધન્યતા અનુભવે છે......
દર સોમવારે લોકો પોતાના પરિવાર સાથે આવીને મહાદેવની આરાધના કરે છે..
ભક્તો મંદિરમાં આવીને પોતાની જે મનોકામના રાખે છે. એ પૂર્ણ થતા સોમનાથ મહાદેવના દર્શને આવીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. દર સોમવારે લોકો પોતાના પરિવાર સાથે આવીને મહાદેવની આરાધના કરે છે......લોકોને પડતી ગ્રહપીડાથી મુક્તિ માટે મંદિરમાં આવીને પોતાને નડતા ગ્રહો, નવચંડી યજ્ઞ ,લધુરૂદ્ર યજ્ઞ, કાલસર્પ યોગ, મંગળદોષ, નવગ્રહશાંતિ યજ્ઞ જેવી વિવિધ પૂજા કરે છે. મંદિરમાં લગ્ન અને મરણની વિધિ કરવામાં આવતી નથી.......
ગૌશાળામાં રહેલ ગાયના દુધથી સોમનાથ દાદાને અભિષેક કરવામાં આવે છે.
મંદિરમાં એક ગૌશાળા આવેલી છે. જે ભક્તો મંદિરે દર્શન કરવા આવે છે. એ ગાયને ધાસ ખવડાવે છે. અને પુણ્યની અનુભૂતિ કરે છે. ગૌશાળામાં રહેલ ગાયના દુધથી સોમનાથ દાદાને અભિષેક કરવામાં આવે છે....... અમદાવાદના સોમનાથના દર્શને આવનારા દરેકના મનોરથને મહાદેવ પરિપૂર્ણ કરે છે. અને આસ્થા સાથે મહાદેવને અભિષેક કરનારની દરેક કામના મહાદેવ પરિપૂર્ણ કરે છે. મહાદેવના દર્શન માત્રથી એક અદભુત આનંદનો અનુભવ કરી લોકો ધન્યતા અનુભવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir