બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Lalu Yadav slandered: ED's raid at daughters' house, investigation going on from Delhi-Mumbai to Patna
Megha
Last Updated: 11:29 AM, 10 March 2023
ઇડી એ શુક્રવારે લેન્ડ ફોર જોબ સ્કેમમાં મોટી કાર્યવાહી કારી છે. જણાવી દઈએ કે ઇડીએ દિલ્હી, બિહાર અને યુપીની 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને મહત્વની વાત એ છે કે આ દરોડા લાલુ યાદવ અને તેમના નજીકના લોકોના સ્થળો પર પડ્યા છે. નોંધનીય છે કે આ પહેલા સીબીઆઈએ આ મામલે લાલુ યાદવ અને રાબડી દેવીની પણ પૂછપરછ કરી હતી અને આ પહેલા EDની ટીમે શુક્રવારે પટનામાં પૂર્વ આરજેડી ધારાસભ્ય અબુ દોજાના ઘરે પણ દરોડા પાડ્યા હતા.
લાલુ અને રાબડી દેવીની કરી પૂછપરછ
જણાવી દઈએ કે આ પહેલા સીબીઆઈએ સોમવારે પટનામાં રાબડી દેવીના ઘરે તેમની પૂછપરછ કરી હતી અને એ બાદ બીજા દિવસે સીબીઆઈની ટીમ દિલ્હીમાં મીસા ભારતીના ઘરે પહોંચી હતી જ્યાં CBIએ લાલુ યાદવની ઘણો કલાકો સુધી પૂછપરછ કરી હતી. લાલુ યાદવ હાલ દિલ્હીમાં મીસા ભારતીના ઘરે રોકાયા છે.
શું છે લેન્ડ ફોર જોબ સ્કેમ?
લેન્ડ ફોર જોબ સ્કેમનો આ કેસ 14 વર્ષ જૂનો છે, એ સમયે લાલુ યાદવ રેલ મંત્રી હતા. હાલ દાવો કરવામાં આવ્યો છે કે લાલુ યાદવ જે સમયે રેલ મંત્રી હતા એ સમયે રેલવેમાં લોકોને નોકરી આપવાને બદલે જમીન રાઈટ ઓફ કરાવી હતી. મહત્વનું છે કે લાલુ યાદવ 2004 થી 2009 સુધી રેલ્વે મંત્રી હતા. જણાવી દઈએ કે સીબીઆઈએ આ મામલે 18 મેના રોજ કેસ નોંધ્યો હતો.
રેલ્વેમાં ગ્રુપ ડી પોસ્ટમાં અવેજી તરીકે ભરતી કરવામાં આવી
સીબીઆઈના જણાવ્યા અનુસાર લોકોને પહેલા રેલ્વેમાં ગ્રુપ ડી પોસ્ટમાં અવેજી તરીકે ભરતી કરવામાં આવી હતી અને જ્યારે તેમના પરિવારોએ જમીનનો સોદો કર્યો ત્યારે તેમને નિયમિત કરવામાં આવ્યા હતા. CBIનું કહેવું છે કે લાલુ યાદવના પરિવારે પટનામાં 1.05 લાખ ચોરસ ફૂટ જમીન પર કથિત રીતે અતિક્રમણ કર્યું છે. આ જમીનોનો સોદો રોકડમાં થયો હતો. એટલે કે લાલુ પરિવારે રોકડ ચૂકવીને આ જમીનો ખરીદી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ જમીનો ખૂબ જ ઓછી કિંમતે વેચવામાં આવી હતી.
સીબીઆઈ રેલ્વેમાં નોકરીના બદલામાં લાંચ માટે જમીન લેવાના આરોપોની તપાસ કરી રહી છે. તે જ સમયે, ED મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ કેસમાં લાલુ યાદવના નજીકના અને પૂર્વ ધારાસભ્ય ભોલા યાદવ અને હૃદયાનંદ ચૌધરી પણ આરોપી છે. આરજેડી નેતા લાલુ યાદવના ઓએસડી ભોલા યાદવની સીબીઆઈ દ્વારા 27 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ભોલા 2004 થી 2009 વચ્ચે તત્કાલીન રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવના ઓએસડી હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir