બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / keep these things in mind while applying for pm awas yojana

તમારા કામનું / PM આવાસ યોજનામાં કરવી છે અરજી? તો પહેલા આટલું ખાસ નોટ કરી લેજો, નહીં તો છેતરાઇ જશો!

Arohi

Last Updated: 04:40 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Awas Yojana: PM આવાસ યોજનાના કારણે ઘણા લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. જો તમે પણ PM આવાસ યોજનામાં અરજી કરવા માંગો છો તો આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો. નહીં તો તમે છેતરાઈ શકો છો.

  • PM આવાસ યોજનામાં અરજી કરવી છે? 
  • તો આ વાતોનું ખાસ ધ્યાન રાખજો 
  • નહીં તો થઈ શકે છે છેતરપિંડી 

PM આવાસ યોજનામાં હાલના સમયમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને લાભ લઈ રહ્યા છે.  જો તમે પણ આ યોજના હેઠળ પોતાના ઘરનું ઘર બનાવવા માંગો છો તો તમે પણ તેની સાથે જોડાઈ શકો છો. બસ તમારૂ આ યોજના માટે પાત્ર હોવું જરૂરી છે અને જો તમે અરજી કરી રહ્યા છો તો તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. 

અરજી કરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન 
નંબર-1 

અરજીના સમયે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે પરંતુ ધ્યાન રાખો કે કોઈને પણ ઓરિજનલ આધાર કાર્ડ ન આપો. સાથે જ કોઈની પાસે તેને જમા પણ ન કરાવો. નહીં તો તમારા આધાર કાર્ડ દ્વારા ફ્રોડ થઈ શકે છે. 

નંબર-2 
તમે યોજનામાં અરજી કરાવી રહ્યા છો તો પોતાની ગુપ્તતા બેંકિંગ ડિટેલ્સ બિલકુલ પણ શેર ન કરો. તેમાં તમારો ડેબિટ કાર્ડ નંબર, સીવીવી નંબર, ઓટીપી વગેરે કોઈની પણ સાથે શેર ન કરો. નહીં તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. 

નંબર-3 
જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અપાત્ર છો તો ભૂલથી પણ અરજી ન કરો. ફ્રોડ તમને અરજી કરવાનું કહી તમારી પાસે બદલામાં પૈસા માંગે છે. આવા લોકોથી બચીને રહો. સરકાર પાત્ર લોકોને જ લાભ આપે છે. 

વધુ વાંચો: શું તમે જાણો છો? ચૂંટણીમાં પણ તમને મળે છે TAX બચાવવાનો મોકો, એ કઇ રીતે, જાણો વિગત

નંબર-4
PM આવાસ યોજનામાં અરજી કરવા માટે સરકાર કોઈ ચાર્જ નથી લેતી. જો તમારી પાસે કોઈ પૈસા માંગી રહ્યું છે તો આવા લોકોથી સાવધાન રહો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ