બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Kedarnath-Badrinath pilgrimage stops in Srinagar: 4-day alert declared due to continuous snowfall
Priyakant
Last Updated: 03:50 PM, 1 May 2023
ચારધામ યાત્રાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં અવિરત વરસાદ અને હિમવર્ષા પ્રશાસનની સાથે-સાથે મુસાફરો માટે પણ મુસીબત બની ગઈ છે. હવામાન અહીં યાત્રાળુઓની કસોટી કરી રહ્યું છે. આ તરફ હવે સોમવારે બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા અને વરસાદ થયો હતો. જેને લઈ હવે સાવચેતીના પગલા તરીકે ચાર ધામ યાત્રાને રોકી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ શ્રીનગરમાં મુસાફરોને રોકી દેવામાં આવ્યા છે.
ચારધામ યાત્રાને લઈ પૌડીના એસએસપી શ્વેતા ચૌબેએ જણાવ્યું કે, બદ્રીનાથ અને કેદારનાથમાં સતત હિમવર્ષા અને ભારે વરસાદને કારણે બદ્રીનાથ અને કેદારનાથ જતા તીર્થયાત્રીઓને શ્રીનગર ગઢવાલમાં રોકી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી હવામાન સાફ ન થાય ત્યાં સુધી મુસાફરોને શ્રીનગરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.
Srinagar, Pauri Garhwal | Due to continuous snowfall & heavy rain in Badrinath & Kedarnath, the pilgrims going to Badrinath & Kedarnath have been stopped in Srinagar Garhwal. Passengers are being appealed to stay in Srinagar till the weather clears up: Pauri SSP Shweta Choubey pic.twitter.com/0I7L0dawUJ
— ANI (@ANI) May 1, 2023
હવામાન વિભાગે પણ જાહેર કર્યું છે એલર્ટ
ઉત્તરાખંડમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે અહીં કેદારનાથ અને બદ્રીનાથમાં ભારે હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે. હવામાન શાસ્ત્રીઓના મતે 1 મેથી 4 મે દરમિયાન હવામાન ખરાબ રહેશે. સોમવારે પણ કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા થઈ હતી, જેના કારણે અહીં ઠંડી વધી ગઈ છે.
મુસાફરોને મુશ્કેલી
બરફના કારણે માર્ગ બંધ થવાના ભયને કારણે, મુસાફરોને પહેલાથી જ શ્રીનગરમાં રોકી દેવામાં આવ્યા છે. મુસાફરોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે જ્યાં સુધી હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી આગળ ન વધો. જોકે વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે, શ્રીનગરમાં મુસાફરોના રોકાવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir