બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jyotirnath Maharaj gave an ultimatum regarding the Dattatreya peak dispute in Girnar
Dinesh
Last Updated: 10:33 PM, 4 October 2023
જૂનાગઢમાં જૈન-હિન્દુ દેવસ્થાનનો વિવાદ ફરી એકવાર વકર્યો છે. ગત રવિવારે કેટલાક લોકો દ્વારા દત્તાત્રેય દેવસ્થાનમાં હલ્લાબોલ કરીને મૂર્તિ સાથે છેડછાડનો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યાનો વીડિયો વાયરલ થયો હતો. તેમજ 'ગિરનાર અમારો છે' તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવતા વિવાદ વકર્યો છે. ભગવાન દત્તાત્રેય મંદિરમાં પાદુકાને નુકસાન કરવાનો વિવાદનો મુદ્દો રોજે રોજ વધુને વધુ વકરતો જાય છે. જે મામલે જ્યોતિર્નાથ મહારાજે નુકસાન કરનાર સામે કાર્યવાહીની માગ કરી છે
જ્યોતિર્નાથ મહારાજનું નિવેદન
જ્યોતિર્નાથ મહારાજે પાદુકા વિવાદને લઈ જણાવ્યું છે કે, 6 ઓક્ટોબર સુધીમાં પગલા લેવા સનાતન સંત સમિતિનું અલ્ટિમેટમ છે. જો પગલાં નહીં લેવાય તો 7 ઓક્ટોબરે સંત સમિતિ મેદાનમાં ઉતરશે. આગામી દિવસોમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે મુલાકાત કરીશુ તેમ પણ જ્યોતિર્નાથ જણાવ્યું છે.
શું બની હતી સમગ્ર ઘટના ?
આપને જણાવી દઈએ કે, જૈન સંઘના લોકોએ શિખર પર હોબાળો મચાવ્યો હતો અને ગુરુ દત્તાત્રેયની ચરણપાદુકા ફેંકવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જૈન સંઘના કૃત્યથી સાધુ-સંતો અને ભવનાથના સંતો લાલઘુમ થયા છે.
ગિરનારમાં દત્તાત્રેય શિખરનો વિવાદ શું છે?
ગિરનારમાં દત્તાત્રેય શિખરને લઈને ચાલી વિવાદ ચાલી રહ્યો છે. દત્તાત્રેય શિખર પર ભગવાન દત્તાત્રેયના પગલા આવેલા છે. જૈન માને છે શિખર પર જે પગલા છે તે નેમીનાથના છે. દત્તાત્રેય શિખરનો વિવાદ આઝાદીકાળથી ચાલી રહ્યો છે. હાઈકોર્ટમાં બંને પક્ષે સામસામે દાવો પણ કર્યો છે. કોર્ટે વિવાદાસ્પદ પ્રવૃત્તિ ન કરવા હુકમ કર્યો છે. કોર્ટે જૈનને પૂજા કરવાની સત્તા આપી નથી. સદીઓથી હિન્દુ સંસ્થા દત્તાત્રેય શિખર પર પૂજા કરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir