બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Malay
Last Updated: 12:28 PM, 20 June 2023
આજે 20 જૂન એ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનો દિવસ છે. આજે આડિશાના પુરી ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. જેમાં સામેલ થવા દેશના ખૂણે-ખૂણેથી ભક્તો પહોંચશે અને ભગવાન જગન્નાથના રથને પોતાના હાથેથી ખેંચીને જીવનના કષ્ટોમાંથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરશે. આજે ફક્ત પુરી જ નહીં પરંતુ દેશમાં ઘણી જગ્યાએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
MPના રતલામમાં પણ આવેલું છે પ્રાચીન જગન્નાથ મંદિર
ઓડિશાના પુરી ઉપરાંત મધ્યપ્રદેશના રતલામમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. આપને જણાવી દઈએ કે, ઓડિશાના પુરીની જેમ જ ભગવાન જગન્નાથજીનું એક મોટું પ્રાચીન મંદિર મધ્ય પ્રદેશના રતલામ ખાતે પણ આવેલું છે. આ મંદિર પણ જમીનથી ઘણું ઊંચું છે અને લાંબી સીડીઓ ચડીને ભગવાનના દર્શન થાય છે. અહીં પણ પૂરી વિધિ-વિધાન અને આસ્થા-શ્રદ્ધાની સાથે દોરડાં ખેંચીને રથયાત્રા કાઢવામાં આવે છે.
લગભગ 350 વર્ષ જૂનું છે મંદિર
રતલામના પ્રાચીન રાજમહેલની નજીક ભગવાન જગન્નાથજીનું એક પ્રાચીન વિશાળ મંદિર આવેલું છે. આ મંદિર એટલું જૂનું છે કે તેનું નિર્માણ કોણે કરાવ્યું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. મંદિરની કાળા પથ્થરની પ્રાચીન, અદ્ભુત અને દુર્લભ પ્રતિમા પરથી અંદાજ લગાવવામાં આવે છે કે આ લગભગ 350 વર્ષ જૂનું મંદિર છે. એવું કહેવાય છે કે રતલામ મંદિરની ભગવાન જગન્નાથની પ્રતિમા જે દુર્લભ પથ્થરમાંથી બનેલી છે, તેમાં સોનાને ઓળખવાની શક્તિ છે.
મંદિરની અન્ય પ્રતિમાઓ પણ છે ખાસ
આ પ્રાચીન મંદિરમાં ભગવાન જગન્નાથની સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની પણ પ્રાચીન પ્રતિમાઓ છે. મંદિરની બહાર ગણેશજી અને હનુમાનજીની પ્રતિમા લોકોને ઘણી આકર્ષિત કરે છે.
પુરીથી લાવવામાં આવે છે મૂર્તિઓ
આ મંદિરેથી પણ દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે. રથયાત્રામાં કાષ્ટ (એક ખાસ પ્રકારના લાકડા)ની મૂર્તિઓ ખાસ લાવવામાં આવે છે. આ મૂર્તિઓ ઓડિશાના પુરીથી જ લાવવામાં આવી છે. આ મૂર્તિઓને રથમાં રાખીને દોરડા વડે ખેંચીને રથયાત્રા કાઢવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir