બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / jagannath temple rathyatra puri odisha ratlam ancient madhyapradesh

ધર્મ / ના હોય! મૂર્તિમાં છે સોનાને પારખવાની શક્તિ? પુરીની જેવું જ અહીં આવેલું છે ભગવાન જગન્નાથજીનું પ્રાચીન મંદિર

Malay

Last Updated: 12:28 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ તો વિશ્વમાં પુરીનું જગન્નાથ મંદિર તેની ઘણી વિશેષતાઓને કારણે વિશ્વમાં પ્રખ્યાત છે. આવું જ એક પ્રાચીન મંદિર મધ્ય પ્રદેશના રતલામમાં પણ આવેલું છે. રતલામ મંદિરની ભગવાન જગન્નાથની પ્રતિમા જે દુર્લભ પથ્થરમાંથી બનેલી છે, તેમાં સોનાને ઓળખવાની શક્તિ છે.

 

  • રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ
  • MPના રતલામ ખાતે પણ આવેલું છે જગન્નાથ મંદિર
  • 350 વર્ષથી વધારે જૂનું છે રતલામ જગન્નાથ મંદિર

આજે 20 જૂન એ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનો દિવસ છે. આજે આડિશાના પુરી ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. જેમાં સામેલ થવા દેશના ખૂણે-ખૂણેથી ભક્તો પહોંચશે અને ભગવાન જગન્નાથના રથને પોતાના હાથેથી ખેંચીને જીવનના કષ્ટોમાંથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરશે. આજે ફક્ત પુરી જ નહીં પરંતુ દેશમાં ઘણી જગ્યાએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

MPના રતલામમાં પણ આવેલું છે પ્રાચીન જગન્નાથ મંદિર
ઓડિશાના પુરી ઉપરાંત મધ્યપ્રદેશના રતલામમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. આપને જણાવી દઈએ કે, ઓડિશાના પુરીની જેમ જ ભગવાન જગન્નાથજીનું એક મોટું પ્રાચીન મંદિર મધ્ય પ્રદેશના રતલામ ખાતે પણ આવેલું છે. આ મંદિર પણ જમીનથી ઘણું ઊંચું છે અને લાંબી સીડીઓ ચડીને ભગવાનના દર્શન થાય છે. અહીં પણ પૂરી વિધિ-વિધાન અને આસ્થા-શ્રદ્ધાની સાથે દોરડાં ખેંચીને રથયાત્રા કાઢવામાં આવે છે. 

લગભગ 350 વર્ષ જૂનું છે મંદિર
રતલામના પ્રાચીન રાજમહેલની નજીક ભગવાન જગન્નાથજીનું એક પ્રાચીન વિશાળ મંદિર આવેલું છે. આ મંદિર એટલું જૂનું છે કે તેનું નિર્માણ કોણે કરાવ્યું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. મંદિરની કાળા પથ્થરની પ્રાચીન, અદ્ભુત અને દુર્લભ પ્રતિમા પરથી અંદાજ લગાવવામાં આવે છે કે આ લગભગ 350 વર્ષ જૂનું મંદિર છે. એવું કહેવાય છે કે રતલામ મંદિરની ભગવાન જગન્નાથની પ્રતિમા જે દુર્લભ પથ્થરમાંથી બનેલી છે, તેમાં સોનાને ઓળખવાની શક્તિ છે.

મંદિરની અન્ય પ્રતિમાઓ પણ છે ખાસ
આ પ્રાચીન મંદિરમાં ભગવાન જગન્નાથની સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની પણ પ્રાચીન પ્રતિમાઓ છે. મંદિરની બહાર ગણેશજી અને હનુમાનજીની પ્રતિમા લોકોને ઘણી આકર્ષિત કરે છે. 

પુરીથી લાવવામાં આવે છે મૂર્તિઓ
આ મંદિરેથી પણ દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે.  રથયાત્રામાં કાષ્ટ (એક ખાસ પ્રકારના લાકડા)ની મૂર્તિઓ ખાસ લાવવામાં આવે છે. આ મૂર્તિઓ ઓડિશાના પુરીથી જ લાવવામાં આવી છે. આ મૂર્તિઓને રથમાં રાખીને દોરડા વડે ખેંચીને રથયાત્રા કાઢવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ