બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / વિશ્વ / India will now fill the world's belly, record wheat exports this year, final talks with 7 countries
Hiralal
Last Updated: 04:08 PM, 29 March 2022
સમગ્ર દુનિયાનું પેટ ભરવાની ભારતમાં તાકાત છે. હાલમાં ડામાડોળ વૈશ્વિક સ્થિતિની વચ્ચે ભારત એક મોટું કામ કરવા જઈ રહ્યો છે. ભારત વિશ્વના ઘણા દેશોને જોઈતા ઘઉંનો સ્ટોક પૂરો પાડશે. દુનિયામાં એકમાત્ર ભારત જ એવો દેશ જે કોઈને પણ અનાજ પુરુ પાડી શકે છે.
ઘઉંના ભાવ પહોંચ્યાં વિક્રમી સપાટીએ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે દુનિયાભરમાં ઘઉંના ભાવ વિક્રમી સપાટીએ પહોંચી ગયા છે. ભારત પાસે ઘઉંનો બફર સ્ટોક હોવાના અહેવાલોને કારણે ભાવ કાબુમાં આવ્યાં છે. ભારત પાસે હાલમાં 12 મિલિયન ટન ભારતીય ઘઉંની નિકાસનો સ્ટોક છે. આ વર્ષે ભારત દુનિયાના એ દેશોમાં ઘઉંની નિકાસ કરશે, જે પહેલા રશિયા અને યુક્રેનથી ઘઉં લેતા હતા. આ દેશોમાં ઘઉંનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર ઇજિપ્તનો સમાવેશ થાય છે.વિશ્વભરમાં ખાદ્ય પદાર્થો પર નજર રાખતા નિષ્ણાતોનું કહેવું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ, દુષ્કાળ અને વિશ્વભરમાં વધતી માંગને કારણે ખાદ્ય પદાર્થોના ભાવમાં તીવ્ર વધારો થયો છે. શિકાગોમાં બેન્ચમાર્ક ઘઉંનો આંતરરાષ્ટ્રીય ભાવ ગયા મહિને બુશેલ દીઠ 13.635 ડોલરની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. ભારતની ઘઉંની નિકાસથી વિશ્વ બજારમાં ઘઉંનો પુરવઠો વધશે.
આ દેશોમાં ભારત ઘઉં પહોંચતા કરશે
ભારત ઇજિપ્તમાં ઘઉંની નિકાસ કરશે ઘઉંની નિકાસ અંગે ભારતના સૌથી મોટા ઘઉંના આયાતકાર ઇજિપ્ત સાથેની વાટાઘાટો
લગભગ નક્કી થઈ ગઈ છે. ચીન, તુર્કી, બોસ્નિયા, સુદાન, નાઇજીરિયા અને ઇરાન પણ ભારત સાથે ઘઉં ખરીદવા માટે વાતચીત કરી રહ્યા છે. છેલ્લા દસ મહિનામાં જ ભારતની ઘઉંની નિકાસમાં ચાર ગણો વધારો થયો છે. બદલાયેલી વૈશ્વિક સ્થિતિમાં ભારતને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશો ઉપરાંત હવે આફ્રિકા અને મધ્ય પૂર્વ ક્ષેત્રમાં પણ ઘઉંની નિકાસ કરવાની તક મળશે.
ભારતીય ઘઉંને કારણે સ્થિતિ સામાન્ય બનશે
સિંગાપોર સ્થિત અનાજની આયાત-નિકાસ કરતી મોટી કંપની એગ્રીકૂપ ઇન્ટરનેશનલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિજય આયંગરનું કહેવું છે કે ભારતની ઘઉંની નિકાસથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંનો પુરવઠો થોડો સામાન્ય બનશે. અત્યારે પુરવઠો ખૂબ ઓછો છે. આયંગરનું કહેવું છે કે, ભારતમાં ઘઉંની નિકાસની સંભાવનાએ કિંમતો પર થોડી લગામ લગાવી દીધી છે. જો ભારતે ઘઉંની નિકાસ ન કરી હોત તો ઘઉંના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હોત.
ભારત પાસે નિકાસ કરવા માટે ઘઉંનો 12 મિલિયન સ્ટોક
ચીન પછી ભારત વિશ્વમાં ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારત પાસે 2022-23માં નિકાસ કરવા માટે 12 મિલિયન ટન ઘઉં છે. અમેરિકાના કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં ભારતે 85 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. સપ્લાયમાં ઘટાડો અને ઘઉંના વધતા ભાવને કારણે ઘણા દેશો પહેલી વાર ભારતમાંથી ઘઉંની આયાત કરશે. ભારતમાં છેલ્લા પાંચ પાકની સિઝનથી રેકોર્ડ ઘઉંનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ કારણોસર, ભારત પાસે ઘઉંનો પૂરતો વધારાનો જથ્થો છે જે તે નિકાસ કરી શકે છે. આ વખતે હવે ઘઉંની લણણીની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. આ વખતે પણ રેકોર્ડ ઉત્પાદનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir