બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / ભાવનગર / In Uttarakhand, a bus of devotees crashed into a valley in which a video of the injured Brijraj Singh Gohil surfaced.
Vishal Khamar
Last Updated: 04:50 PM, 21 August 2023
ગતરોજ ઉત્તરાખંડનાં ગંગોત્રી હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં ગુજરાતનાં ભાવનગર તેમજ મહુવાનાં કુલ 7 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 22 થી વધુ મુસાફરોને ઈજાઓ થઈ હતી. ત્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારે અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે બસ ગંગોત્રી તરફથી પરત ફરી રહી હતી. તે વખતે અકસ્માતની થોડીક્ષણો પહેલા યાત્રાળુઓ દ્વારા આ અંતિમ વીડિયો બનાવવામાં આવ્યો હોઈ શકે છે.
ઘટનામાં ઇજા પામેલ યુવકનો વીડિયો આવ્યો સામે
ઉત્તરાખંડમાં શ્રદ્ધાળુઓની બસ ખીણમાં ખાબકી હતી. જે ઘટનામાં ઈજા પામેલ યુવકનો વીડિયો સામે આવ્યો હતો. ત્રાપજનાં વતની બ્રિજરાજસિંહ ગોહીલનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોતે સહી સલામત હોવાનો મેસેજ આપતો વીડિયો સામે આવ્યો છે. તેમજ અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો હતો
ઉત્તરાખંડમાં થયેલા અકસ્માતમાં ભાવનગરના 7 શ્રદ્ધાળુના મૃત્યુ થયા છે. ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર ગંગોત્રી યાત્રાધામથી પરત ફરતી વખતે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગંગના નજીક 100 મીટર ઊંડી ખીણમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાબકી હતી. બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બેરિયર તોડીને યાત્રાળુથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે આ મામલે 28 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉત્તરાખંડના CM પુષ્કર ધામીએ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી છે. ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર 079 23251900 જાહેર કર્યો છે. ગુજરાત સરકાર સતત ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, બસ નંબર (uk 07 8585) 35 યાત્રીઓને લઈને ગંગોત્રીથી ઉત્તરકાશી તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ મનેરી પોલીસ સ્ટેશન, એસડીઆરએફ અને એનડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. થોડીવારમાં ડીએમ અભિષેક રુહેલા અને એસપી અર્પણ યદુવંશી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોડી સાંજ સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 28 ઈજાગ્રસ્તોને ખીણમાંથી બહાર કાઢીને હોસ્પિલટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir