બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ભારત / In Pakistan Security forces-clashes among terrorists: 8 terrorists killed in two different encounters
Megha
Last Updated: 10:40 AM, 1 January 2024
પાકિસ્તાન સેનાએ 30 અને 31 ડિસેમ્બરની રાત્રે જુદા જુદા વિસ્તારોમાં હાથ ધરેલા ઓપરેશનમાં 8 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જો કે આતંકીઓ ક્યા સંગઠન સાથે સંકળાયેલા હતા અને તેમની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પાકિસ્તાની સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકીઓના કેમ્પ અને ઠેકાણાઓને પણ નષ્ટ કરી દેવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો, દારૂગોળો અને મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા છે.
પાકિસ્તાની સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે બલૂચિસ્તાનમાં અસ્થિરતા અને ગુનાખોરી વધારી રહેલા 8 આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. બલૂચિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાના પાકિસ્તાન સરકારના સપના સાથે સેના પણ આગળ વધી રહી છે. પાકિસ્તાનની એકતા અને શાંતિ માટે પણ આ જરૂરી છે. નોંધનીય છે કે બલૂચિસ્તાનમાં ઘણા અલગતાવાદી સંગઠનો સક્રિય છે અને ત્યાં દરરોજ હિંસક ઘટનાઓ બનતી રહે છે.
વાંચવા જેવુ: હાફિઝ સઈદને અમને સોંપી દો...:ભારતે કરી માંગ, તો પાકિસ્તાને કર્યો ઈનકાર, જુઓ શું કારણ આપ્યું
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદી હુમલા પણ સતત થઈ રહ્યા છે. ખૈબર-પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણની અનેક ઘટનાઓ બની છે. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વજીરિસ્તાન જિલ્લાના મીર અલી વિસ્તારમાં એક ઓપરેશન દરમિયાન પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ડિસેમ્બરમાં જ એક જ દિવસે બે અલગ-અલગ ઘટનાઓમાં 25 જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાન માટે સુરક્ષા વ્યવસ્થા પણ મોટો પડકાર બની રહી છે.
આતંકી ઘટનાઓ માટે પાકિસ્તાનની સેનાએ તેમની અવ્યવસ્થા અને નિષ્ફળતા માટે અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. પાક સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે અમે અફઘાનિસ્તાનની વચગાળાની સરકારને તેના સરહદી વિસ્તારમાં થઈ રહેલી ગતિવિધિઓ પર અંકુશ લગાવવા માટે પહેલાથી જ અનુરોધ કર્યો છે. અમે ફરી એકવાર અફઘાન વચગાળાની સરકારને કહેવા માંગીએ છીએ કે અમારી વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે તેની જમીનનો ઉપયોગ ન થવા દે. ભવિષ્યમાં પણ આ અંગે કડક કાર્યવાહી કરીશું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir