બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad, more than 843 cases of diarrhea and vomiting were reported in a month
ParthB
Last Updated: 10:30 AM, 4 May 2022
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો
એક તરફ અમદાવાદમાં કાળઝાળ ગરમીના પ્રકોપની વચ્ચે અમદાવાદીઓના માથે નવી આફત મંડરાઈ રહી છે. અમદાવાદમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો વધતા છેલ્લા એક મહિનામાં ઝાડા ઉલટીના 843 અને કમળાના 125 કેસ નોંધાયા હતા.એપ્રિલ મહિનામાં પાણીના 211 સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા.મહત્વનું છે કે, સોલા સિવિલમાં પાણીજન્ય રોગોની ઓપીડી રોજે રોજ વધી રહી છે
એપ્રિલ મહિનામાં ઝાડા-ઉલ્ટીના 843 કેસ નોંધાયા
ઉલ્લેખનીય છે કે, ગત 30 એપ્રિલ સુધીના એક મહિનામાં શહેરમાં પાણીજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. આમ છેલ્લા એક મહિનામાં ટાઈફોઈડના કુલ 152 અને કોલેરાનો એક કેસ નોંધાયો હતો. આ સાથે ઝાડા-ઉલ્ટીના 843 કેસ નોંધાયા હતાં. પ્રદૂષિત પાણીની ફરિયાદોના પગલે એપ્રિલ મહિનામાં 7હજારથી વધુ ઘરોમાં કલોરીન ટેસ્ટ કરાયા હતા. તેમજ બેકટેરીયોલોજીકલ 1 હજારથી વધુ ટેસ્ટ કરાયા હતા.જેમાં એપ્રિલ મહિનામાં પાણીના 211 સેમ્પલ અનફીટ જાહેર થતા આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં કુલ 231 પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા.
જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં કમળાના 486 કેસ નોંધાયા
જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ઝાડા ઉલટીના 1563, કમળાના 486, ટાઈફોઈડના 440 તથા કોલેરાના છ કેસ નોંધાયા હતા.એપ્રિલ મહિનામાં મચ્છરજન્ય એવા મેલેરિયાના 48 અને ઝેરી મેલેરિયાનો એક કેસ નોંધાયો હતો.ડેન્ગ્યૂના આઠ તેમજ ચિનગુનિયાના 9 કેસ નોંધાવા પામ્યા હતા.આ વર્ષે એપ્રિલ સુધીમાં મેલેરિયાના 76,ઝેરી મેલેરિયાના 4, ચિકનગુનિયાના 105 તથા ડેન્ગ્યૂના 40 કેસ નોંધાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir