બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Hiralal
Last Updated: 09:05 PM, 8 January 2023
સળગતી લાશ સૌથી વધારે પ્રદૂષણ ઝેરી કરી મૂકે છે પરંતુ હવે આ ધાર્મિક રીતરીવાજ હોવાથી તેમાં કઈ શકે તેમ નથી. એકમાત્ર હિંદુઓ જ લાશને અગ્નિને હવાલે કરે છે પરંતુ આ બધામાં સળગતી લાશનો જે ધૂમાડો નીકળે છે તેનાથી તો તોબા તોબા. સળગતી લાશના પ્રદૂષણમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ઉપાય મળી જાય તો કેવું લાગે. હાલમાં આવો એક ઉપાય ચાલી રહ્યો છે પરંતુ દુનિયાને હવે ખબર પડી છે.
અમેરિકામાં ચાલી રહ્યું છે લાશમાંથી ખાતર બનાવવાનું કામ
2019ની સાલથી અમેરિકાના કેટલાક રાજ્યોમાં લાશમાંથી ખાતર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હાલમાં કેલિફોર્નિયા, કોલોરાડો, ઓરેગોનમાં લાશને સળગાવવામાં નથી આવતી પરંતુ પરિવારની ઈચ્છાનુસાર તેમાંથી ખાતર બનાવાય છે અને હવે ન્યૂયોર્કમાં શરુ થઈ છે.
કેવી રીતે લાશનું ખાતર બને છે
માનવ મૃતદેહોને ખાતરમાં રૂપાંતરિત કરવા માટે ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિ અપનાવવામાં આવે છે. તે 'કુદરતી કાર્બનિક ઘટાડા' ની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. શરીરને એક ચેમ્બરમાં રાખવામાં આવે છે. તેમાં લાકડાની ચિપ્સ, સ્ટ્રો અને ઓર્ગેનિક મિશ્રણ ઉમેરવામાં આવે છે. જૈવિક મિશ્રણમાં રહેલા સુક્ષ્મજીવો શરીરનો નાશ કરે છે. આ રીતે 30 દિવસની અંદર લાશ ફળદ્રુપ ખાતરમાં ફેરવાઈ જાય છે.
આ ખાતર કેટલું સુરક્ષિત?
આ સવાલ પર નિષ્ણાતોનું માનવું છે કે માનવ શબને એવી પ્રક્રિયા કરવામાં આવે છે કે રોગોને પ્રોત્સાહન આપતા સૂક્ષ્મજીવોનો નાશ થાય છે, જો કે પ્રક્રિયાના 30 દિવસ પછી પણ, ચેપ ફેલાવાનું જોખમ સંપૂર્ણપણે નકારી શકાય નહીં.
અમેરિકાની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ આવશે
મૃત શરીરમાંથી ખાતર બનાવવાની પદ્ધતિ અમેરિકાની જૂની સમસ્યાને હલ કરવાનું કામ કરશે. અમેરિકામાં લગભગ 10 લાખ એકર જમીન સ્મશાન માટે અનામત રાખવામાં આવી છે. આ ભૂમિ પર એક છોડ પણ ઉગી શકે કે જંગલી પ્રાણીઓને આશરો આપી શકાય તેવું નથી. આ સાથે જ દર વર્ષે શબપેટીઓ બનાવવા માટે લાખો એકર નષ્ટ થઈ જાય છે. ડેડ બોડી પર કોટિંગ લગાવવા માટે 8 લાખ ગેલન કોટિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે માનવ કમ્પોસ્ટિંગ દ્વારા આ સમસ્યાનો ઉકેલ આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir