બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ફેશન અને સૌંદર્ય / health skin care ayurvedic herbs to detox your skin
Bijal Vyas
Last Updated: 04:59 PM, 26 May 2023
Skin Care Tips:ધૂળ, ગંદકી, પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણો ગરમીમાં સ્કિન પર ખરાબ અસર કરે છે. તે સાથે આ સિઝનમાં પરસેવો અને ઓઇલ નીકળવાના કારણે ત્વચા ચિકણી થઇ જાય છે. જેનાથી ત્વચા પર ગંદકી જમા થતી રહે છે, તેનાથી પોર્સ બ્લોક થઇ જાય છે. જેના પરિણામે ચહેરા પર હંમેશા ખીલ અને ફોલ્લીઓથી ભરાઇ દાય છે. તો આવો આજે એવા હર્બ્સ વિશે વાત કરીશુ જે સ્કિનને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તેનાથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે અને તેની ચમક વધે છે.
હર્બ્સથી કેવી રીતે સ્કિનને ડિટોક્સ?
1. કોથમીર(ધાણા)
મસાલા તરીકે ઉપયોગમાં લેવાતી કોથમીર પણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ખોરાકમાં તેનો ઉપયોગ કરવાથી શરીરની સાથે ત્વચાને પણ ડિટોક્સ કરવામાં આવે છે. જેના કારણે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ધાણામાં એન્ટીઓક્સીડેન્ટ તત્વો મળી આવે છે, જે ત્વચા પર ફ્રી રેડિકલ્સની અસરને ઘટાડે છે. જેના કારણે ત્વચા સ્વચ્છ અને સાફ દેખાય છે.
2. એલોવેરા
એલોવેરા એક એવો પ્લાન્ટ છે જે સ્વાસ્થ્ય અને ત્વચાને લગતી ઘણી સમસ્યાઓનો ઈલાજ છે. એલોવેરામાં ઠંડકનો ગુણ હોય છે. જે ઉનાળામાં સનબર્ન, ટેનિંગ, બર્નિંગ સેન્સેશન, ફોલ્લીઓ અને લાલાશ જેવી ઘણી સમસ્યાઓથી રાહત આપે છે. તે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને કોષોના પુનર્જીવનને પ્રોત્સાહન આપે છે. અતિશય ગરમી અને સૂર્યના સંપર્કમાં આવતા ત્વચાને થતા નુકસાનને ઠીક કરતી વખતે તે ત્વચાને ઠંડક આપે છે.
3. ચંદન
ચંદનમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, તે સાથે જ તેમાં બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ તત્વો પણ જોવા મળે છે. તે ત્વચાને સનબર્ન, ખીલ, પિમ્પલ્સ વગેરે જેવી ઘણી સમસ્યાઓથી તાત્કાલિક રાહત આપે છે. તેનો ઉપયોગ પાણી અને ગુલાબજળમાં મિક્સ કરીને કરવાથી સ્કિન ડિટોક્સ થાય છે, જેના કારણે ફોલ્લીઓ અને પિમ્પલ્સની સમસ્યા દૂર થાય છે.
4. હળદર
હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી તત્વો પણ હોય છે. ત્વચાની બળતરા ઘટાડવાની સાથે તે પિગમેન્ટેશનની સમસ્યાને પણ દૂર કરે છે. હળદરનો ઉપયોગ ત્વચાને ડિટોક્સિફાય કરે છે, જે નવા કોષોના નિર્માણમાં મદદ કરે છે. તમારા ફેસપેકમાં હળદરનો ઉપયોગ કરવા ઉપરાંત હળદરમાં દૂધમાં મિક્સ કરી સ્કિન પર લગાવી શકો છો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir