બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / Happy Birthday Kanha : Krishna Janmotsav Celebrations in Dwarka, Dakor, Shamlaji, Greetings Beloved at Home
Vishal Khamar
Last Updated: 01:11 AM, 8 September 2023
સમગ્ર રાજ્યમાં આજે ભગવાન કૃષ્ણનાં જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાત્રીનાં 12 વાગ્યે ભગવાન કૃષ્ણ જન્મોત્સવની રાજ્યભરનાં કૃષ્ણ મંદિરોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દ્વારકા, ડાકોર, મથુરા તેમજ શામળાજી મંદિર જય રણછોડ.....માખણ ચોર, ગોકુલ મે આનંદ ભયો..જય કનૈયા લાલ કી, મથુરા મે આનંદ ભયો..જય કનૈયા લાલ કી, વ્રજ મેં આનંદ ભયો..જય કનૈયા લાલ કી નાં નાદથી ગુંજી ઉઠ્યા હતા.
કાળીયા ઠાકરને રત્નજડિત આભૂષણ પહેરાવ્યા હતા
દ્વારકામાં કૃષ્ણજન્મની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. દ્વારિકાધીશનાં વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. જગત મંદિરમાં કૃષ્ણજન્મનોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ઠાકોરજીને કેસરિયા વાઘા પહેરાવવામાં આવ્યા છે. તેમજ કાળીયા ઠાકરને રત્નજડિત આભૂષણ ચડાવવામાં આવ્યા હતા. સોના-ચાંદીનાં તારથી ભરતકામ કરાયેલા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. તેમજ વસ્ત્રોનું ભરતકામ કોલકાતા, સુરત અને રાજકોટમાં કરવામાં આવ્યું છે. તેમજ રાત્રે 12 વાગ્યે ભગવાનની વિશેષ આરતી કરવામાં આવી હતી.
ઈસ્કોન મંદિર ખાતે મુખ્યમંત્રીએ દર્શન તેમજ પૂજા અર્ચના કરી
અમદાવાદ ઈસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાાનનાં જન્મ દિવસની ઉજવણીને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ ઈસ્કોન મંદિર ખાતે ભક્તો કૃષ્ણભક્તિમાં લીન બન્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઈસ્કોન મંદિર ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ઈસ્કોન મંદિર ખાતે દર્શન તેમજ પૂજા કરી હતી.
શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
શામળાજીમાં પણ ભક્તોએ આનંદ ઉલ્લાસ સાથે ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મોત્સવની ઉજવણી કરી હતી. ત્યારે શામળાજી મંદિરને લાઈટીંગથી શણગારવામાં આવ્યું હતું. ભક્તો ભગવાનનાં જન્મોત્સવની ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. કૃષ્ણમય બનેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.
મંદિરોમાં દેવી-દેવતાઓના દર્શન કર્યા
મથુરામાં સ્થિત ભગવાન કૃષ્ણના અન્ય ઘણા મંદિરોમાં મધરાતે 12 વાગ્યે અભિષેક સમારોહનું આયોજન કરવામાં આવ્યું. હજારો શ્રદ્ધાળુઓએ શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર સ્થિત ભાગવત ભવન મંદિર અને અન્ય મંદિરોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત શ્રી કૃષ્ણ જન્મસ્થળથી વિદેશી ભક્તો અને કલાકારો દ્વારા એક ભીભાયાત્રા કાઢવામાં આવી હતી જે મથુરાના મુખ્ય માર્ગો અને વિવિધ ચોકો પરથી પસાર થઈ હતી. મથુરાના દ્વારકાધીશ મંદિર, વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ વગેરે સહિત અન્ય મંદિરોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir