બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat corona case update 15 July 2022

ફડકો / ગુજરાતમાં વરસાદની સાથે કોરોનાનો પણ કહેર, કેસ 1000 નજીક, 116 દિવસ બાદ મૃતાંકે પણ ચિંતા વધારી

Vishnu

Last Updated: 08:19 PM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

148 દિવસ બાદ ગુજરાતમાં 800ને પાર કોરોના, છેલ્લા 14 દિવસમાં ગુજરાતમાં 8458 કેસ પોઝિટિવ, આજથી 18 થી 59 વર્ષના લોકોને બુસ્ટરડોઝ આપવાનું શરૂ

  • ગુજરાતમાં કોરોનાની વહેતી 'ધાર'
  • છેલ્લા 24 કલાકમાં 822 કેસ પોઝિટિવ


ગુજરાતમાં કોરોના કેસ ધીમો વધારો સતત યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 822 લોકોને કોરોના સાંપડ્યો છે.  ચિંતાજનક વાત એ છે કે 116 દિવસ પછી કોરોનાને લીધે 2 લોકોનું મોત થયું છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 4482 પર પહોંચી ગઈ છે. હાલ વેન્ટિલેટર પર 3 લોકો સારવાર લઈ રહ્યા છે જ્યારે 612 લોકો ડિસ્ચાર્જ લઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે.

શહેરોમાં કોરોના વકર્યો
અમદાવાદ કોર્પોરેશનમાં 298 સુરત કોર્પોરેશનમાં 73 વડોદરા કોર્પોરેશનમાં 56 તો ગાંધીનગર કોર્પોરેશન 32 કેસ, ભાવનગર અને રાજકોટ કોર્પોરેશનમાં 30-30 કેસ નોંધાયા છે. 

જિલ્લા પ્રમાણે કોરોના
અમદાવાદમાં 302 કેસ, સુરતમાં 91 કેસ, વડોદરામાં 78 કેસ, મહેસાણામાં 41 કેસ દાખલ થયા, ગાંધીનગરમાં 55 કેસ, ભાવનગરમાં 57 કેસ, રાજકોટમાં 47 કેસ, કચ્છમાં 18 કેસ, અમરેલીમાં 14 કેસ, પાટણમાં 14 કેસ, વલસાડમાં 14 કેસ, ભરૂચમાં 12 કેસ, મોરબીમાં 11 કેસ, સાબરકાંઠામાં 10 કેસ, આણંદમાં 7 કેસ, બનાસકાંઠામાં 7 કેસ, દ્વારકામાં 7 કેસ, ખેડામાં 6 કેસ, નવસારીમાં 5 કેસ, સુરેન્દ્રનગરમાં 5 કેસ, અરવલ્લીમાં 4 કેસ, જામનગરમાં 6 કેસ, તાપીમાં 4 કેસ, દાહોદમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, પોરબંદરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે.

148 દિવસ બાદ કોરોના કેસ 800ને વટયા
અમદાવાદ  અને ભાવનગરમાં એક એક દર્દીએ કોરોનાથી જંગ હારી છે. 148 દિવસ બાદ ગુજરાતમાં 800ને પાર કોરોના કેસ ગયા છે. 

14 દિવસમાં 8458 કેસ નોંધાયા
ચિંતાની વાત એ છે કે 1 જુલાઇથી 14 જુલાઇ સુધીમાં 8458 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે જ્યારે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 631  કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.

સાજા થવાનો દર 98.76 ટકા
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10953 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 2,14,800 નાગરિકોનું રસીકરણ સાથે  રાજ્યમાં રસીના કુલ 11.22 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.76 ટકા પહોચ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ