બ્રેકિંગ ન્યુઝ
પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
Bhushita
Last Updated: 11:45 AM, 10 May 2021
સડક પરિવહન મંત્રાલયે મોટર વાહન નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે વાહન માલિક વાહનના રજિસ્ટ્રેશનના સમયે પોતાના ઉત્તરાધિકારીની પસંદગી કરી શકે છે. એવામાં વાહન માલિકના મોત બાદ વાહનના ઉત્તરાધિકારી બનવામાં સરળતા રહેશે. ઉલ્લેખનીય છે કે રજિસ્ટ્રેશન બાદ પણ ઓનલાઈન પોર્ટલ પર જઈને તેને અપડેટ કરી શકાય છે. નવા વાહન નિયમના આધારે તમે હવે વાહન માલિક રજિસ્ટ્રેશન સમયે પોતાના ઉત્તરાધિકારીને નામાંકિત કરી શકો છો. તેનાથી રજિસ્ટ્રેશન બાદ પણ નામ અપડેટ કરાવી શકાય છે. આ નિયમ લાગૂ થવાથી મૂળ વાહન માલિકના મોત બાદ વાહન પોતાના નામે કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં, સડક પરિવહન મંત્રાલયે નામાંકન માટે આ વિકલ્પ આપ્યો છે જેનાથી મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. વાહન માલિક રજિસ્ટ્રેશનના માટે અરજી કરતી સમયે નામાંકિત વ્યક્તિનું નામ રાખી શકે છે અને ઓનલાઈન અરજીની મદદથી તેને પછી પણ ઉમેરી શકાય છે.
માલિકના મોત બાદ રજિસ્ટ્રેશન ટ્રાન્સફરની પ્રોસેસ મુશ્કેલ
હાલમાં વાહન માલિકના મોત બાદ રજિસ્ટ્રેશન ટ્રાન્સફર કરવાની પ્રોસેસ મુશ્કેલ છે. નિયમ અનુસાર વાહન માલિકના મોત બાદ કાયદાકીય ઉત્તરાધિકારી હોવા માટે ઓળખ પત્ર આપવાનું રહે છે. આ પછી રજિસ્ટ્રેશન પોર્ટલ પર જઈને એપ્લાય કરવાનું રહે છે. નામાંકિત વ્યક્તિને જરૂરી ડોક્યુમેન્ટ જેવા મૃત્યુ પ્રમાણપત્ર, રજિસ્ટ્રેશન પ્રમાણ પત્ર અને તેના પ્રમાણને 30 દિવસમાં રજિસ્ટર અધિકારી પાસે જમા કરાવવાનું રહે છે.
વાહન માલિકોને મળશે રાહત
આ નવા નિયમ લાગૂ થવાના કારણે ન ફક્ત વાહન માલિકોને રાહત મળશે પણ સાથે વાહન માલિકના મોત બાદ વાહનના ઉત્તરાધિકારી બનાવવામાં સરળતા રહેશે. મંત્રાલયે તેના સંદર્ભમાં એક સર્ક્યુલર જાહેર કર્યો છે. હાલમાં સડક પરિવહન મંત્રાલયે મોટર વાહન નિયમોમાં ફેરફાર કર્યા છે જેથી વાહન ચાલકોને સરળતા રહે. આ સિવાય મંત્રાલયે સુરક્ષિત ડ્રાઈવિંગને લઈને પણ અનેક ફેરફાર કર્યા છે. તેનાથી રોડ એક્સીડન્ટને નિયંત્રિત કરી શકાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ