બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Bijal Vyas
Last Updated: 09:02 AM, 27 July 2023
Garuda Purana: સનાતન ધર્મમાં 4 વેદ અને 18 મહાપુરાણ છે, જેમાંથી એક ગરુડ પુરાણ છે. જેમાં ભગવાન વિષ્ણુએ એવી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે જે વ્યક્તિના જીવન જ નહીં પરંતુ મૃત્યુ સાથે જોડાયેલા રહસ્યો પણ ઉજાગર કરે છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલી વાતો તમને જીવનમાં સાચા રસ્તે ચાલવા અને જીવનનો સાચો અર્થ સમજાવવા માટે પ્રેરિત કરે છે. કહેવાય છે કે મનુષ્ય માત્ર એક જ વાર મનુષ્ય સ્વરૂપમાં જન્મ લે છે અને આ સ્વરૂપમાં જન્મ લઈને વ્યક્તિએ એવા કાર્યો કરવા જોઈએ જેનાથી લોકોનું કલ્યાણ થાય.
ગરુડ પુરાણ અનુસાર, વ્યક્તિએ પોતાના કાર્યોની સાથે તેની સંગત પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. કારણ કે આપણી સફળતા અને નિષ્ફળતા મોટાભાગે સંગત પર આધારિત છે. જો તમારી કંપની સારી છે તો તમને હંમેશા યોગ્ય વસ્તુઓ શીખવા મળશે. બીજી બાજુ, ખરાબ સંગતના લોકો ફક્ત ખરાબ રસ્તા પર ચાલવાની સલાહ આપે છે. જીવનમાં કેટલાક લોકોનો સંગ ઝેરથી ઓછો નથી હોતો. એટલા માટે સમય મળતાં જ તેમનાથી અંતર બનાવી લેવું જોઈએ. આવો જાણીએ કે, કેવા લોકોની સંગત થી દૂર રહેવું જોઈએ?
નસીબના ભરોસે રહેનારા લોકો
ગરુડ પુરાણ અનુસાર, વ્યક્તિએ ક્યારેય પણ એવા લોકો સાથે મિત્રતા ન કરવી જોઈએ જે મહેનત કરવાથી શરમાતા હોય અને નસીબના ભરોસો કરતા હોય. આવા લોકો ન તો પોતે સફળ થાય છે અને ન તો પોતાની સાથે રહેતી વ્યક્તિને સફળ થવા દે છે. એટલા માટે આ લોકોથી અંતર રાખવું ફાયદાકારક છે.
નીમ્ન વિચારવાળા લોકો
એવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ જેમની વિચારસરણી નાની(નિમ્ન કક્ષાની) કે નકારાત્મક હોય. જો આવા લોકોનો પ્રભાવ કોઈના વિચાર પર પડે તો સફળતાના માર્ગમાં અવરોધો આવવા લાગે છે.
દેખાડો કરનારા લોકો
દુનિયામાં બધાની પાસે બધું જ હોતું નથી અને તેથી જ બીજાઓ સાથે સ્પર્ધા ન કરો. જો તમારી આસપાસ એવા લોકો છે જે દેખાડો કરવામાં માને છે, તો એવા લોકોથી દૂર રહેવામાં જ ફાયદો છે. કારણ કે આવા લોકોની સંગતમાં તમારે અમુક સમયે શો-ઓફ એટલે કે દેખાડો પણ કરવો પડી શકે છે અને દેખાડો વ્યક્તિને સફળ થતા અટકાવે છે.
ફાલતુમાં સમય બર્બાદ કરનારા લોકો
ગરુડ પુરાણ અનુસાર, તમારે એવા લોકોથી દૂર રહેવું જોઈએ જેઓ ફાલતુ કામોમાં પોતાનો સમય બગાડે છે. આ લોકો પોતાનો સમય તેમજ બીજાનો સમય બગાડે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir