બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Flights connecting two more mega cities will be started from Ahmedabad airport

સુવિધા / અમદાવાદીઓ માટે ગુડ ન્યુઝ: એરપોર્ટથી શરૂ કરાશે વધુ બે નવી ફ્લાઇટો, એક રાજકોટ હીરાસર, તો બીજી ક્યાં જશે?

Vishal Khamar

Last Updated: 10:20 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ એરપોર્ટથી હવાઈ સેવામાં વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટથી વધુ બે ફ્લાઈટ શરૂ થશે. નવી ફ્લાઈટ શરૂ થતાં મુસાફરોને વધુ સુવિધાનો લાભ મળશે.

હવાઈ મુસાફરીની ડીમાંડ વધી રહી છે. ત્યારે આ ડિમાન્ડને પહોંચી વળવા અને મુસાફરોને વધુ સુવિધા મળે માટે કેટલીક એર કંપની દ્વારા અમદાવાદ થી નવી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં અમદાવાદ થી મુદ્રા એર ટેક્સી શરૂ કરાઇ હતી તે જ રીતે અમદાવાદ થી રાજકોટ હીરાસર માટે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ અમદાવાદ થી ઔરંગાબાદ સુધીની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે. આ બને ફ્લાઇટ સેવા 31 માર્ચ થી શરૂ થશે. જેનાથી મુસાફરોને સીધો ફાયદો થશે.

જામનગર બાદ હવે <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/અમદાવાદ' title='અમદાવાદ'>અમદાવાદ</a> એરપોર્ટ પર ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો સમગ્ર  વિગત | Emergency landing of flight at <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/ahmedabad-airport' title='Ahmedabad airport'>Ahmedabad airport</a> after Jamnagar

થોડા સમય પહેલા અમદાવાદથી મુન્દ્રા ફ્લાઈટ શરૂ કરવામાં આવી
થોડા સમય પહેલા અમદાવાદથી મુન્દ્રાની રોજની બે ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. તેમજ દિવાળી વેકેશન દરમ્યાન અમદાવાદથી દીવની ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. બુધવાર સિવાય દરરોજન બપોરનાં 12:55 કલાકે અમદાવાદ એરપોર્ટથી 2:10  કલાકે દીવ પહોંચાડતી હતી. જ્યારે પરત દીવ એરપોર્ટથી સાંજ 5 કલાકે  ઉડાન ભરી 6.15 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચે છે. ત્યારે હવે અમદાવાદનાં સરદાર પટેલ એરપોર્ટનાં ડોમેસ્ટિક ટર્મિનલથી રાજકોટ હિરાસર એરપોર્ટ સુધીની ફ્લાઈટ શરૂ કરવામાં આવનાર છે. 

વધુ વાંચોઃ આખરે અમદાવાદનું નામ કેમ નથી બદલાઇ રહ્યું? ક્યારે કરાશે કર્ણાવતી? પાછળ રહેલું છે આ ચોંકાવનારું કારણ

ફ્લાઈટ અઠવાડિયામાં છ દિવસ જ ઉડાન ભરશે
અમદાવાદ એરપોર્ટથી રાજકોટનાં હિરાસર એરપોર્ટ સુધી 31 માર્ચ 2024 થી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવનાર છે. આ ફ્લાઈટ અઠવાડિયામાં છ દિવસ જ ઉડાન ભરશે.  બુધવારનાં રોજ આ ફ્લાઈટ ઉડાન ભરશે નહી. સપ્તાહનાં છ દિવસ દરમ્યા બપોરના 2: 35 કલાકે રાજકોટ હિરાસર એરપોર્ટ પહોંચશે. તો બીજી તરફ રાજકોટથી અમદાવાદ આવવા માટે રાજકોટ એરપોર્ટથી ઈન્ડિગો એરલાઈન્સની ATR ફ્લાઈટ બપોરે 3.50 કલાકે ઉડાન ભરી 4:50 અમદાવાદ એરપોર્ટ પહોંચશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ