બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Khyati
Last Updated: 01:01 PM, 5 April 2022
એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ખેડાના ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે. આ તરફ રાજકોટ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકેશ રાજપરાએ રાજીનામું આપી દીધુ. સંગઠનમાં નિષ્ઠાથી કામ કરવા છતાં કોઇ નોંધ ન લેવાતી ન હોવાનો રાજીનામામાં ઉલ્લેખ કર્યો હતો. તેમજ કોંગ્રેસથી નારાજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. આ તમામ વચ્ચે કોંગ્રેસના દિવગંત નેતાના પુત્રએ પણ ટ્વિટ કરીને કોંગ્રસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી.
ફૈઝલ પટેલે દર્શાવી નારાજગી
કોંગ્રેસના દિવગંત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વિટ કરીને ખળભળાટ મચાવ્યો છે. ફૈઝલ પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસથી નારાજગી વ્યક્તિ કરી છે. તેઓએ ટોચની લીડરશિપ સામે નારાજગી દર્શાવી અને સાથે એમ પણ લખ્યુ કે જવાબદારી અંગે રાહ જોઇને હું થાક્યો. આ ઉપરાંત ઉપરી નેતાગીરી તરફથી કોઇ પ્રોત્સાહન પણ ન મળતુ હોવાનો ટ્વિટમાં ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેઓએ અન્ય વિકલ્પ પણ ખુલ્લા હોવાની વાત લખી હતી જે જોતા કહી ફૈઝલ પટેલ કોંગ્રેસ છોડે તેવી પણ શક્યતાઓ જણાઇ આવે છે.
Tired of waiting around. No encouragement from the top brass. Keeping my options open
— Faisal Patel (@mfaisalpatel) April 5, 2022
ગત મહિને રાજકારણમાં જોડાવા અંગે કર્યુ હતુ ટ્વિટ
મહત્વનું છે કે ગત મહિને ફૈઝલ પટેલે કહ્યું હતું કે તેઓ રાજકારણમાં તેમના ઔપચારિક પ્રવેશ વિશે હજુ સુધી ચોક્કસ નથી. જો કે, તેઓ તેમના ગૃહ જિલ્લામાં ભરૂચ અને નર્મદામાં પડદા પાછળ પક્ષ માટે કામ કરશે. એક ટ્વિટમાં ફૈઝલે કહ્યું હતું કે, 1લી એપ્રિલથી હું ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોની મુલાકાત લઈશ. ફૈસલે ટ્વીટમાં આગળ લખ્યું, 'મારી ટીમ રાજકીય પરિસ્થિતિની વર્તમાન વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરશે અને અમારા મુખ્ય લક્ષ્યને પૂરા કરવા માટે જરૂર પડ્યે મોટા ફેરફારો કરશે.' એક તરફ ફૈઝલ પટેલે રાજકારણમાં જોડાવા માટે ચોક્કસ નથી તો બીજી તરફ આજે જે ટ્વિટ કરવામાં આવ્યુ છે તેની પરથી ઘણા અર્થ નીકળી રહ્યા છે. ત્યારે અહી સવાલે ઉઠી રહ્યા છે કે કે આવનારા સમયમાં ફૈઝલ પટેલ શું ભાજપમાં જોડાશે ? શું કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે તેઓ મુલાકાત કરશે ? કે પછી કોંગ્રેસ દ્વારા તેમને કોઇ જવાબદારી સોંપાશે ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આ પ્રકારે ટ્વિટ સામે આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir