બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / do not do these mistakes on Akhatrij you will become poor

ધર્મ / અખાત્રીજના દિવસે અજાણતા પણ ન કરો આ ભૂલો, લક્ષ્મીજી નારાજ થઈ જતાં કંગાળી ઘર કરી જશે

Manisha Jogi

Last Updated: 07:29 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. અક્ષય તૃતીયાના દિવસે સોનુ ખરીદવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ શુભ દિવસે અજાણતા પણ આ ભૂલો ના કરવી જોઈએ.

  • સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્ત્વ.
  • સોનુ ખરીદવાથી આવે છે સુખ અને સમૃદ્ધિ. 
  • અખાત્રીજના દિવસે અજાણતા પણ ના કરશો આ ભૂલ.

 સનાતન ધર્મમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ)નું વિશેષ મહત્ત્વ રહેલું છે, આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનુ ખરીદવાની પ્રથા છે. દર વર્ષે વૈશાખ માસની શુક્લ પક્ષની તિથિએ અક્ષય તૃતીયાની ઊજવણી કરવામાં આવે છે. આ વર્ષ 22 એપ્રિલના રોજ અખાત્રીજ છે. ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે સોનુ ખરીદવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે તથા આર્થિક પરેશાનીથી છુટકારો મળે છે. આ દિવસે સોનાની ખરીદી જરૂરથી કરવી જોઈએ. ઉપરાંત માઁ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. અખાત્રીજના દિવસે આ ભૂલ બિલકુલ પણ ના કરવી જોઈએ. 

  • ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મી પૂજન દરમિયાન તુલસીના પાન અર્પણ ના કરવા જોઈએ, આ પ્રકારે કરવાથી માઁ લક્ષ્મી નારાજ થઈ જાય છે.
  • અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ વ્યક્તિનું અપમાન ના કરવું જોઈએ. તમારા વિચાર, વાણી અને વર્તનથી કોઈના માન સમ્માનને હાનિ પહોંચાડશો. જો કોઈ વ્યક્તિ તમારા કારણે દુ:ખી થાય તો માઁ લક્ષ્મી રુષ્ઠ થઈ જાય છે. 
  • જો તમે માઁ લક્ષ્મીની સાથે નારાયણને પણ પ્રસન્ન કરવા માંગો છો, તો આ દિવસે માંસ, મદિરા, લસણ, ડુંગળી તથા તામસી ભોજન ના કરવું જોઈએ. આ દિવસે આ તમામ વસ્તુનું સેવન કરવાથી નાણાંકીય નુકસાન થાય છે. 
  • આ દિવસે ચોરી, દુર્વ્યવહાર, જુગાર, ખોટુ ના બોલવું તથા ખોટા કામ ના કરવા જોઈએ. આ પ્રકારે કરવાથી ધનનો નાશ થાય છે,  ઉપરાંત તમે પાપના ભાગી બનો છે. આ દિવસે જે પણ પાપ કરવામાં આવે તે હંમેશા તમારી સાથે રહે છે. 
  • આ દિવસે પૂજા ઘર, તિજોરી, ઈશાન કોણ, દરવાજા અને બારીની સાફ સફાઈ જરૂરથી કરવી જોઈએ. માઁ લક્ષ્મી ગંદકીવાળી જગ્યાઓ પર નિવાસ કરતી નથી. આ કારણોસર અક્ષય તૃતીયાના દિવસે તિજોરી ગંદી ના રાખવી જોઈએ. 
  • જ્યોતિષ અનુસાર અક્ષય તૃતીયાના દિવસે કોઈપણ વ્યક્તિને ઉધાર ના આપશો. આ દિવસે કોઈપણ પ્રકારનું લેવડ દેવડ ના કરશો, જેનાથી માઁ લક્ષ્મી ઘર છોડીને જતા રહે છે. 
  • સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાના દિવસે સોનુ ખરીદવાની પ્રથા છે. આ દિવસે સોનુ જરૂરથી ખરીદવું જોઈએ અને વાસણની ખરીદી ના કરવી જોઈએ. પ્લાસ્ટિક, સ્ટીલના વાસણો પર રાહુની અસર રહે છે. આ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ