બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / સ્પોર્ટસ / Cricket / Did You Talk To Rohit Sharma After MI Captaincy Change? Hardik Pandya's Awkward Reply
Hiralal
Last Updated: 05:24 PM, 19 March 2024
થોડા સમય અગાઉ મુંબઈ ઈન્ડીયન્સે (એમઆઈ) રોહિત શર્માને બદલે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો જેના દિવસો પછી હવે હાર્દિક પંડ્યાએ રોહિત પંડ્યાને લઈને ખુલીને વાત કરી છે જોકે તેનો જવાબ થોડો ચોંકી જવાય તેવો છે.
Recent Instagram story of pratik kadam about Rohit Sharma!
— ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) March 19, 2024
He is the strength and conditioning coach of Mumbai indians.
He wrote "GOAT" for Rohit Sharma, shows the Respect and Aura of Rohit in MI which hardik pandya can only dream of.!! pic.twitter.com/wKiW7BeGEs
શું બોલ્યો હાર્દિક પંડ્યાં
હાર્દિક પંડ્યાએ કહ્યું કે રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે, જે મને મદદ કરશે." આ ટીમે જે પણ હાંસલ કર્યું છે, રોહિતની કેપ્ટન્સીમાં હાંસલ કર્યું છે, હું માત્ર આ સફરને આગળ લઇ જઇશ, હું મારી આખી કારકિર્દી તેની કેપ્ટન્સી હેઠળ રમ્યો છું, મને ખબર છે કે મારા ખભા પર રોહિતનો હાથ હશે. જ્યારે હું કેપ્ટન બન્યો ત્યારે ચાહકો ગુસ્સે થયા. સાચું કહું તો અમે ફેન્સનું સન્માન કરીએ છીએ. આ સમયે અમારું ધ્યાન રમત પર છે. હું મારા નિયંત્રણમાં રહેલી વસ્તુઓને નિયંત્રિત કરી શકું છું. હું જે નિયંત્રિત કરી શકતો નથી તેના પર હું ધ્યાન આપતો નથી. આ ક્ષણે હું ચાહકોનો આભારી છું. તેમને જે જોઈએ તે કહેવાનો અધિકાર છે. હું તેમના વિચારોનું સન્માન કરું છું. અમે વધુ સારું પ્રદર્શન કરવા પર ધ્યાન આપી રહ્યા છીએ.
એમઆઈના મેન્ટર માર્ક બાઉચર શું બોલ્યાં
એમઆઈના મેન્ટર માર્ક બાઉચરે એવું કહ્યું કે મેં તાજેતરમાં જ રોહિતને ઈગ્લેન્ડ સામે બેટિંગ કરતા જોયો હતો, તે બોલને ખૂબ જ સારી રીતે ફટકારતો હતો અને સારી લયમાં દેખાતો હતો. રોહિત પર કેપ્ટનશિપનું કોઈ દબાણ નહીં રહે અને આ કારણે તેને વધુ મુક્તપણે રમવાની આઝાદી મળશે, અને જો તે આમ કરશે તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઘણી આગળ વધી શકે છે. '
Captain Hardik Pandya taking pictures with the fans at the Wankhede Stadium.pic.twitter.com/aWjcLHdEgs
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2024
There's a famous saying ~
— Sravani࿐ (@pullshotx45) March 19, 2024
Respect is earned, not bestowed!
The gratitude, the respect, the admiration these MI boys have for Rohit Sharma is inexplicable! Hardik Pandya could never relate... pic.twitter.com/3XfL4qxsX9
MIમાં 2013થી કેપ્ટન રહેલા રોહિતને હટાવાયો હતો
ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડીયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. રોહિતને કેપ્ટનશિપમાંથી હટાવ્યા બાદ ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું કારણ કે 2013માં રિકી પોન્ટિંગને હટાવ્યા બાદથી તે ટીમનો કેપ્ટન રહ્યો હતો. રોહિતે કેપ્ટન્સી સંભાળતાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ ટાઈટલ જીત અપાવી હતી. આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નહતુ અને તેની કેપ્ટન્સી હેઠળ મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું હતુ. હવે હાર્દિક પંડયાની કેપ્ટન્સી હેઠળ રોહિત શર્મા કેવો દેખાવ કરે છે, તેના પર બધાની નજર રહેશે.
No #RohitSharma fans will pass without liking this post ❤️
— Braj Shyam Maurya (@brijshyam8) March 19, 2024
👇👇 RIP HARDIK PANDYA
#ElvishAmrypic.twitter.com/VLqWhnetPS
યૂઝર્સે શું કર્યો દાવો
રોહિત શર્માને મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન પદેથી હટાવવાનો મામલો હજુ પણ ગરમ છે. આ ક્રમમાં વધુ એક ચોંકાવનારો આરોપ લાગ્યો છે. મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા છે કે, રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીમાંથી દૂર કરવા પાછળ સચિન તેંડુલકરનો હાથ હોઈ શકે છે. આની પાછળ અનેક પ્રકારની દલીલો કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર એક ચાહકે એક્સ પર લખ્યું, "સચિન અને રોહિત વચ્ચે છેલ્લા બે વર્ષથી બધું બરાબર ચાલી રહ્યું નથી, કદાચ આવું થઈ રહ્યું છે કારણ કે તેના પુત્ર અર્જુનને મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં વધુ તકો મળી રહી નથી. આઈપીએલ 2023 માં પણ, અર્જુનને 2 મેચ પછી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. સચિન તેંડુલકર છેલ્લા કેટલાક સમયથી રોહિત શર્મા સિવાય તમામ ખેલાડીઓના પ્રદર્શન પર પોસ્ટ કરી રહ્યો છે. વળી, માસ્ટર બ્લાસ્ટર રોહિતના જન્મદિવસે તે જાહેરમાં 'હિટમેન'ને અભિનંદન પણ આપ્યાં નહોતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir