બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Vaidehi
Last Updated: 05:35 PM, 27 November 2023
કાર્તિક માસનાં શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિનાં એટલે કે આજે દેવ દિવાળી ધૂમધામથી ઊજવવામાં આવશે. માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કરીને પૃથ્વીને પ્રલયથી બચાવી હતી અને આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામક રાક્ષસનો વધ પણ કર્યો હતો. આ જ ખુશીમાં દેવતાઓ આ દિવસે દેવ દિવાળી ઊજવે છે. હિંદૂ માન્યતા અનુસાર આ દિવસે તમામ દેવી-દેવતાઓ ધરતી પર વિચરણ કરવા માટે આવે છે. આ દિવસે વિધિ-વિધાનની સાથે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીનું પૂજન કરવાનું વિધાન છે. એટલું જ નહીં આ દિવસે સાંજનાં સમયે કેટલાક ઉપાય કરવાથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ-શાંતિનો વધારો થાય છે.
દેવ દિવાળીનાં દિવસે શું ઉપાય કરવા જોઈએ?
કથા સાંભળવી
જીવનમાં થઈ રહેલી મુશ્કેલીઓને દૂર કરવા માટે દેવ દિવાળી પર કથા સાંભળવી જોઈએ. માનવામાં આવે છે કે દેવ દિવાળીનાં દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી કે કરાવવાથી તમામ મુશ્કેલીઓ નાશ પામે છે અને જીવન ખુશહાલ બને છે.
લોટનો દીવો પ્રગટાવવો
માન્યતા અનુસાર દેવ દિવાળીનાં દિવસે લોટનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. આ દિવસે લોટથી દીવો બનાવીને તેમાં ઘી અને 7 વાટ નાખીને દીવો પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે.
દીપદાન કરવું
હિંદૂ ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવ દિવાળીનાં દિવસે દીપદાન કરવાનું ખાસ મહત્વ છે. આ દિવસે દીપદાન કરવાથઈ વિષ્ણૂ ભગવાન પ્રસન્ન થાય છે. માન્યતા અનુસાર દેવ દિવાળીનાં દિવસે નદીનાં કિનારે જઈને દીપદાન કરવું જોઈએ.
તુલસી પૂજા
દિવાળીની જેમ દેવ દિવાળીનાં દિવસે પણ પોતાના ઘરમાં દીવાઓ પ્રગટાવવા જોઈએ, ઘરનાં દરવાજા પર તોરણ લગાડવા જોઈએ અને રંગોળી પણ કરવી જોઈએ. સાફ-સફાઈથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવું જોઈએ. તુલસીને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે તેથી આ દિવસે તુલસીનું પૂજન કરવાથી ઘરમાં પૈસાની કમી થતી નથી.
ઘરમાં દીવો પ્રગટાવો
દીવાળીનાં દિવસે તમારે ઘરમાં દીવા પ્રગટાવવા જોઈએ.આવું કરવાથી પિતૃઓની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે.
આજે આ ત્રણ શુભ યોગ પણ બની રહ્યાં છે:
શિવ યોગ
આ કાર્તિક પૂર્ણિમાએ શિવ યોગ બનવા જઇ રહ્યો છે. આ યોગનું નિર્માણ મોડી રાત્રે 11:39 છે. જ્યોતિષ શિવ યોગને શુભ ગણે છે. આ યોગમાં ભગવાન શંકરની પૂજા કરવાથી ચોક્કસ ફળ મળે છે. તેની સાથે સુખ-સમૃદ્ધિ પણ મળશે.
સિધ્ધ યોગ
આ કાર્તિક પૂર્ણિમાએ શિવ યોગ નિર્માણ થવા જઇ રહ્યો છે ત્યારબાદ સિધ્ધ યોગનું પણ નિર્માણ થશે. આ યોગનું નિર્માણ પણ 11:39 મિનિટે જ થશે. તે આગલા દિવસ સુધી રહેશે. જ્યોતિષ સિધ્ધ યોગને શુભ માને છે. જેનાથી બધી જ સમસ્યાઓનું સમાધાન થાય છે.
કરણ યોગ
આ કાર્તિક પૂર્ણિમાએ કરણ યોગનું પણ નિર્માણ થવા જઇ રહ્યું છે. કરણ યોગનું નિર્માણ બપોરે 2:45 સુધી ચાલુ રહેશે. જ્યોતિષના મત મુજબ કરણ યોગને શુભ માનવામાં આવે છે. આ યોગમાં ભગવાન શંકરની પૂજા કરવાથી શાશ્વત ફળ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir