બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Crowding of seats, army standby, evacuation of thousands, food packaging, how the system prepares to meet the storm
Priyakant
Last Updated: 11:35 AM, 15 June 2023
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ સતત નવી અપડેટ સામે આવી રહી છે. બિપરજોય વાવાઝોડાને લઈ ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ છે. આ સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે NDRF અને SDRFની ટીમો પણ ખડેપગે છે. આ તરફ બિપોરજોય વાવાઝોડાને લઈને આ સમયે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે.
બિપોરજોય વાવાઝોડાને લઈ હાલ ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. હાલ ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિ અંગે ચર્ચા કરાશે. વાવાઝોડા સામેની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરાશે.
દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો
વાવાઝોડું નજીક આવતા કચ્છના જખૌમાં પ્રિ-સાયક્લોનિક અસર શરૂ થઈ ગઈ છે. જખૌ બંદર પર દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જખૌ બંદર પર પવનની ગતિ પણ વધી ગઈ છે. બંદર પર ભારે પવન સાથે ભારે વરસાદ પણ શરૂ થયો છે. કચ્છના માંડવી ખાતે પણ વરસાદ વરસી રહ્યો છે, માંડવીના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. માંડવીના દરિયામાં 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા
બિપોરજોય વાવાઝોડાને કારણે હવે રાજ્યભરમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં 4462, કચ્છમાં 17,739, જામનગરમાં 8542 લોકોનું સ્થળાંતર કરાયું છે. પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 4863, ગીર સોમનાથમાં 1605 લોકોનું સ્થળાંતર તો મોરબીમાં 1936 અને રાજકોટમાં 4497 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.
#Gujaratcyclone કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા ભારતીય આર્મી ખડેપગે, કચ્છમાં સંપૂર્ણ તૈયારીઓ સજ્જ, 'Biporjoy' આજ સાંજ સુધીમાં માંડવી (કચ્છ) થી કરાચી (પાકિસ્તાન) વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા#biporjoycyclonenews #vtvgujarati #Indianarmy #vtvgujarati #breaking pic.twitter.com/C9Q0SV8Hwj
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 15, 2023
NDRF અને SDRFની ટીમો પણ તૈયાર
આ તરફ વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાઇ જાય તો વીજપૂરવઠો પૂર્વવત કરવા 597 ટીમ તૈયાર છે. આ સાથે સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 18 અને SDRFની 12 ટીમ તૈનાત છે. આ સાથે કોમ્યુનિકેશન સિસ્ટમ ખોરવાય તો સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયોની સેવાઓ લેવામાં આવશે.
બિપોરજોય વાવાઝોડાને લઈને કચ્છમાં તકેદારીના ભાગ રૂપે સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તમામ શાળાઓમાં તા. ૧૬ અને ૧૭ જૂનના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
— Info Kutch GoG (@Bhujmahiti) June 15, 2023
તમામ પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૭ જૂન ૨૦૨૩ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. @InfoGujarat @CollectorKutch
કચ્છમાં વધુ 2 દિવસ શાળાઓ બંધ
કચ્છમાં Cyclone Biparjoy ની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, અગાઉ 13, 14 અને 15 જૂન સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે આજે શિક્ષણ વિભાગ દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લેતાં વધુ 2 દિવસ શાળાઓ બંધ રાખવાનું નક્કી કર્યું છે.
14/06/23#Cyclone"BIPARJOY"
— 6 NDRF VADODARA (@6NDRFVADODARA) June 15, 2023
# Team 6 NDRF a/w civil administration evacuated 452 men, 390 women and 158 children from villages Dhragavndh, Pipar & Botau and shifted them to cyclone centers at 18 Bn BSF Camp, Vermanagar & Dayalpar in Lakhpat Tehsil of Kutch district respectively. pic.twitter.com/DPsoXnFzs7
વાવાઝોડું જખૌથી માત્ર 180 કિમી દૂર
અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળા વાવાઝોડા બિપોરજોયને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. IMD દ્વારા જણાવ્યા અનુસાર, બિપોરજોય ગુજરાતની નજીક પહોંચી ગયું છે. વાવાઝોડું કચ્છથી વધુ નજીક પહોંચ્યું છે. બિપોરજોય વાવાઝોડું જખૌથી માત્ર 180 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી 210 કિમી, નલિયાથી 210 કિમી, પોરબંદરથી 290 કિમી, કરાંચીથી 270 કિમી દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું માંડવી અને કરાંચી વચ્ચે ટકરાશે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે 140 કિમીની ઝડપે પવન ફુંકાશે.
ગુજરાતભરમાં ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા
રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને લઈ પોરબંદર જિલ્લામાં વાવાઝોડાના અસરગ્રસ્તો માટે આંગણવાડીની બહેનો આશ્રયસ્થાનોના રસોડામાં સેવા આપી રહી છે.
ભુજ ખાતેથી વિવિધ સંસ્થાઓ દ્વારા મોડી સાંજે તૈયાર કરવામાં આવેલ ફૂડ પેકેટ તંત્રની મદદથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં રાત્રી દરમિયાન પહોંચતા કરવાની કાર્યવાહી તથા શેલ્ટર હાઉસ મધ્યે ભોજનની વ્યવસ્થા ચાલુમાં.@CMOGuj @irushikeshpatel @prafulpbjp pic.twitter.com/bGZPrVojlU
— Collector & DM, Kachchh (@CollectorKutch) June 14, 2023
આ તરફ ભુજ ખાતેથી વિવિધ સંસ્થાઓ દ્વારા મોડી સાંજે તૈયાર કરવામાં આવેલ ફૂડ પેકેટ તંત્રની મદદથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં રાત્રી દરમિયાન પહોંચતા કરવાની કાર્યવાહી તથા શેલ્ટર હાઉસ મધ્યે ભોજનની વ્યવસ્થા ચાલુ છે.
વાવાઝોડા સામે નાગરિકોને સલામત સ્થળે ખસેડવા #દેવભૂમિદ્વારકા જિલ્લા વહીવટી તંત્રની અવિરત કામગીરી. #ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં ૩૬૦૦ કરતા વધારે લોકોને આશ્રયસ્થાનમાં આશ્રય અપાયો.તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી નાગરિકોની વ્હારે આવતું વહીવટી તંત્ર. @InfoGujarat pic.twitter.com/k26SzltNhE
— Info Devbhumidwarka GOG (@info_dbd) June 14, 2023
વાવાઝોડા સામે નાગરિકોને સલામત સ્થળે ખસેડવા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રની અવિરત કામગીરી. ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં 3600 કરતા વધારે લોકોને આશ્રયસ્થાનમાં આશ્રય અપાયો.તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી વહીવટી તંત્ર નાગરિકોની વ્હારે આવ્યું છે.
*પોરબંદર જિલ્લામાં વાવાઝોડાના અસરગ્રસ્તો માટે આંગણવાડીની બહેનોનો કર્મયોગ*
— Info Porbandar GoG (@informationpor2) June 15, 2023
*આંગણવાડીની બહેનો આશ્રયસ્થાનોના રસોડામાં સેવા આપે છે* pic.twitter.com/jogQKy2AX6
દરેકની નજર બિપોરજોય વાવાઝોડા પર
બિપોરજોય વાવાઝોડાને લઈને આ સમયે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. દેશના ગૃહમંત્રી, રક્ષા મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, NDRF, SDRF, ગુજરાતના મુખ્યમંત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે સંકળાયેલા દરેક કર્મચારી, આ સમયે બધાની નજર માત્ર બિપોરજોય વાવાઝોડા પર છે.
આટલી ઝડપથી ફૂંકાશે પવન
આવા તોફાનોમાં પવન ખૂબ જ જોરદાર હોય છે. આ વખતે વાવાઝોડા અંગે હવામાન વિભાગના નિષ્ણાતો કહે છે કે પવનની ઝડપ સૌથી વધુ કચ્છમાં રહેશે. જે 125 થી 150 કિમી પ્રતિ કલાકની હશે. અનુમાન મુજબ ગુરુવારે કચ્છમાં એ જ ઝડપે પવન ફૂંકાશે.
અંબાલાલ પટેલે પણ કરી મોટી આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજે જખૌ નજીક બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થશે. વાવાઝોડાને કારણે આજે જે વરસાદ પડશે. આજે સાંજે 7 વાગ્યા સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. આ વાવાઝોડાની અસર લગભગ અડધા ભારતમાં વર્તાશે.
આ વિસ્તારમાં પડશે અતિભારે વરસાદ
તેઓએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું કચ્છ, માંડવી અને પાકિસ્તાનના ભાગોમાં વધુ અસર કરશે. જ્યારે કચ્છમાં તબાહી મચાવે તેવો વરસાદ થવાની શકયતા છે. આજે સાંજ સુધીમાં ભારે વરસાદ પડશે. આજે ઓખા, દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદ રહેશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ વરસાદ આગામી ચોમાસાને વિલંબકારી બનાવી શકે છે.
ગીર સોમનાથમાં વાવાઝોડાની અસર
વાવાઝોડું ગુજરાતની નજીક આવતા દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયામાં ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સાથે જ દરિયમાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ગીર સોમનાથમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે.
હિલોળા લેતો માંડવીનો દરિયો, કચ્છના માથે આજે વાવાઝોડાનું મંડરાતું સંકટ | VTV Gujarati#vtvgujarati #breaking #CycloneBiparjoy #trending pic.twitter.com/bhejN69f9T
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 15, 2023
ગુજરાતમાં ટીમો તૈનાત
NDRFએ તોફાનનો સામનો કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટીમો તૈનાત કરી છે. ગુજરાતમાં 18 ટીમો એક્ટિવ રહેશે. આ ઉપરાંત એક ટીમ દાદર અને નગર હવેલી તેમજ દમણ અને દીવમાં પણ ટીમ હાજર રહેશે. ગુજરાતની વાત કરીએ તો NDRFની 4 ટીમો ગુજરાતના કચ્છ જિલ્લામાં, ત્રણ ટીમ રાજકોટમાં અને ત્રણ ટીમ દ્વારકામાં તૈનાત કરવામાં આવી છે. ગુજરાતના જામનગરમાં બે ટીમો, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, વલસાડ અને ગાંધીનગરમાં એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir