બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / સ્પોર્ટસ / cricketer aap mp harbhajan singh statement on participating in ram mandir pran pratistha
Manisha Jogi
Last Updated: 02:22 PM, 20 January 2024
ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન સહિત અનેક ભારતીય ક્રિકેટર્સને અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે આ બાબતે જણાવ્યું છે કે, ‘કોઈ જાય કે ના જાય, હું તો કાર્યક્રમમાં હાજર રહીશ.’
અનેક રાજનૈતિક દળોએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણને નકારી દીધું છે. ત્યારપછી હરભજન સિંહનું આ નિવેદન સામે આવ્યું છે કે, તેઓ હાલ જે કંઈપણ છે, તે ભગવાનના આશીર્વાદને કારણે જ છે.
હરભજન સિંહે નિવેદન આપ્યું છે કે, ‘અમારું સૌભાગ્ય છે કે, મંદિર બની રહ્યું છે. તમામ લોકોએ આ કાર્યક્રમમાં જવું જોઈએ અને ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ. કોઈ જાય કે ના જાય. મારી ભગવાનમાં આસ્થા છે, હું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જઈશ. કઈ પાર્ટી જાય છે અને કઈ પાર્ટી નથી જતી, હું તો જઈશ.’
અન્ય પાર્ટીઓ પર સાધ્યું નિશાન
હરભજન સિંહે અન્ય પાર્ટીઓ પર નિશાન સાધ્યું છે કે, ‘કોંગ્રેસે જવું હોય તો જાય. હું રામ મંદિર જઉં અને કોઈને તકલીફ હોય તો તેમણે જે કરવું હોય એ કરે. હું ભગવાનમાં વિશ્વાસ રાખું છું. મારા જીવનમાં જે કંઈપણ થઈ રહ્યું છે, તે ભગવાનની કૃપા છે. હું આશીર્વાદ લેવા જરૂરથી જઈશ.’
હરભજન સિંહની પાર્ટી AAPએ કર્યો હતો વિરોધ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાબતે દેશમાં રાજકારણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અને આપ સહિત અન્ય વિપક્ષ પાર્ટીઓએ આરોપ મુક્યો છે કે, ભાજપ આ મુદ્દે રાજનૈતિક ફાયદો ઉઠાવવાની કોશિશ કરી છે. ત્યારપછી આમ આદમી પાર્ટીએ સુંદરકાંડ કરાવવા માટેનો નિર્ણય લીધો હતો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઉપલક્ષ્યમાં દિલ્હી, ગુજરાત અને હરિયાણામાં સુંદરકાંડના પાઠનું આયોજન થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir