બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Dinesh
Last Updated: 07:59 PM, 26 December 2022
અમરોલી ચકચારીત ત્રિપલ મર્ડર કેસ મામલે આજે બે આરોપીમાંથી એક આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. આરોપી આશિષને સુરતની ચીફ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
અમરોલીની ચકચારિત મર્ડર કેસમાં આજે બે આરોપીમાંથી એક આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપી આશિષને સુરતની ચીફ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા સમગ્ર બાબતે હથિયાર ક્યાં છુપાવ્યું, અન્ય ક્યાં ગુનામાં સંડોવણી તે તપાસમાં રિમાન્ડ માગવામાં આવ્યાં હતાં. તમને જણાવી દઈએ કે, આરોપીના 7 દિવસમાં ચાર્જ સીટ રજુ કરવા રાજ્યગૃહમંત્રીએ ખાતરી આપી હતી. હાલ આરોપીને પોલીસ કસ્ટડી માં રાખી પૂછપરછ કરાશે
અમરોલી ચકચારીત ત્રીપલ મર્ડર કેસ મામલો
કારખાનાના માલિકે કારીગરને કામ પરથી છૂટા કરી દેતાં કારીગરે તેના મળતીયાઓને બોલાવી કારખાનાના માલિક પર હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારથી કારખાના માલિક અને તેમના પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીમાં માલિકના મામા વચ્ચે પડતા તેઓ પણ ઈજાગ્રસ્ત થયા થયા હતા. તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ત્રણેયના મોત નિપજ્યાં છે.
SITની રચના કરવામાં આવી હતી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગઈકાલે બેઠક મળી હતી જેમાં SITની રચના કરવામાં આવી હતી. જેમાં 5 પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડીસીપી હર્ષદ મહેતાએ ગઈકાલે જણાવ્યું હતું કે અમરોલીમાં આવેલી વેદાંત ટેક્સોમાં આજે 9થી સવા નવ વાગ્યાની આસપાસની આ ઘટના બની છે. એમ્બ્રોઈડરી કારખાનામાં કામ કરતાં કારીગરો દસ દિવસ પહેલાં જ કામે લાગ્યા હતા. તેને નોકરીમાંથી કાઢી મૂકવાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે નાઇટશિપમાં કામ કરતા કારીગરે યોગ્ય કામગીરી ન કરતા તેને છૂટો કરી દેવામાં આવ્યો હતો. જેની અદાવત રાખીને વહેલી સવારે કારખાનામાં આવીને કારખાના માલિક, તેના પિતા અને મામાની હત્યા કરી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir