બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Corona is once again emerging as a serious problem.

રિસર્ચ / ...તો 40 ટકા સુધી ઘટી શકે છે સંક્રમણનો ખતરો, જો લાઇફસ્ટાઇલમાં લાવશો આ ફેરફાર, વૈજ્ઞાનિકોનો દાવો

Pooja Khunti

Last Updated: 10:52 AM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશ્વિક સ્તરે કોરોનાનું વધતું જોખમ સ્વાસ્થ્ય નિષ્ણાંતો માટે મોટી ચિંતાનું કારણ છે. ખાસ કરીને આ દિવસોમાં ઓમિક્રોનના નવા JN.1 વેરિઅન્ટને કારણે ચેપના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ચેતવણી
  • રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું
  • વનસ્પતિ આધારિત આહાર 

વૈશ્વિક સ્તરે કોરોનાનું વધતું જોખમ સ્વાસ્થ્ય નિષ્ણાંતો માટે મોટી ચિંતાનું કારણ છે. ખાસ કરીને આ દિવસોમાં ઓમિક્રોનના નવા JN.1 વેરિઅન્ટને કારણે ચેપના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાનગી અહેવાલો અનુસાર, કોરોનાનું આ નવું સ્વરૂપ 40 થી વધુ દેશોમાં ફેલાયું છે. સિંગાપોર અને અમેરિકા જેવા દેશોમાં બીજી સંભવિત લહેર અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ચેતવણી
તાજેતરમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન [WHO] એ ચેતવણી આપી હતી કે ગયા મહિને ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ દરમિયાન એકત્ર થયેલી ભીડને કારણે, વાયરસનું સંક્રમણ વધ્યું છે. ડિસેમ્બરમાં ચેપને કારણે લગભગ 10,000 લોકોના મોત પણ થયા હતા. કોરોના ફરી એકવાર ગંભીર સમસ્યા તરીકે ઉભરી રહ્યો છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, કોરોનાના જોખમથી દરેકે બચવાની જરૂર છે. રસીકરણ અને માસ્ક જેવા અસરકારક પગલાં સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાણો કોરોનાથી બચવા શું ખાવું અને શું ન ખાવું?

વનસ્પતિ આધારિત આહાર 
COVID-19 ના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, સંશોધનકર્તાઓએ તમામ લોકોને વાયરસથી સુરક્ષિત રહેવા માટે પગલાં લેવાની અપીલ કરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કોરોનાથી બચવા માટે આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. વનસ્પતિ આધારિત આહારનું સેવન શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને કોરોનાનાં જોખમથી શરીરને બચાવવામાં મદદરૂપ થાય છે. બ્રાઝિલની સાઓ પાઉલો યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વનસ્પતિ આધારિત આહાર [શાકાહારી આહાર] લેવાથી કોવિડ-19નું જોખમ 39 ટકા ઘટાડી શકાય છે.

વાંચવા જેવું: એન્ઝાઇટી ડિસઓર્ડર: આખો દિવસ નકારાત્મક વિચારો આવતા રહે છે? બચવા માટે લાઈફસ્ટાઇલમાં કરો આ બદલાવ

એન્ટિવાયરલ ગુણધર્મો
એક ખાનગી અહેવાલ મુજબ જાણવા મળ્યું કે જે લોકો વધુ પ્રમાણમાં માંસનું [નોનવેજ] સેવન કરે છે તેમને કોરોના થવાની સંભાવનાઓ વધુ છે. વનસ્પતિ આધારિત આહારનાં સેવનથી કોરોના થવાની સંભાવનાઓ ઘટી જાય છે. કારણકે આ આહારમાં એન્ટીઓક્સિડેન્ટ, ફાયટોસ્ટેરોલ્સ અને પોલિફીનોલ્સથી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને કોષોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ પ્રકારનાં આહારમાં એન્ટિવાયરલ ગુણધર્મો પણ હોય છે. જે ચેપી રોગોના જોખમને ઘટાડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ