બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Assembly election 2023 / ભારત / Politics / Congress now with the help of I.N.D.I.A. alliance, JDU made this demand spoiling the game as a result of three states.
Priyakant
Last Updated: 02:18 PM, 3 December 2023
Assembly Elections 2023 : મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ જેવા છે. રાજસ્થાન-મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો ભગવો લહેરાઈ શકે અને બાકી તેલંગાણામાં કોંગ્રેસને જીત મળી શકે છે. આ સંભવિત પરિણામએ લઈ કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે વિપક્ષના ગઠબંધન INDIAના તમામ 28 દળોની મીટિંગ બોલાવી છે. આ તરફ હવે JDU નેતાએ ટ્વિટ કરીને કહ્યું કે, I.N.D.I.A ગઠબંધને નીતિશ કુમારને અનુસરવું પડશે.
વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વિપક્ષી ગઠબંધનમાં ખળભળાટ શરૂ થયો છે. આ દરમિયાન JDU નેતા નિખિલ મંડલે ટ્વીટ કર્યું કે હવે I.N.D.I.A ગઠબંધને નીતિશ કુમારને અનુસરવું પડશે. કોંગ્રેસ 5 રાજ્યોમાં ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે INDIA ગઠબંધન પર ધ્યાન આપી શકી ન હતી. હવે કોંગ્રેસે પણ ચૂંટણી લડી લીધી છે અને પરિણામ પણ આવી ગયા છે. આ તરફ INDIAની ચોથી બેઠક 6 ડિસેમ્બરનાં દિલ્હીમાં થવા જઈ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે વિપક્ષનાં તમામ 28 દળોની મીટિંગ બોલાવી છે. પાંચ રાજ્યો - મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમમાં ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ વિપક્ષી દળોની પહેલી બેઠક થશે. આ બેઠકમાં પરિણામોને લઈને મંથન કરવામાં આવશે.
I.N.D.I.A गठबंधन को अब आदरणीय श्री नीतीश कुमार जी के अनुसार चलना चाहिए।
— Nikhil Mandal (@nikhilmandalJDU) December 3, 2023
कांग्रेस 5 राज्यों के चुनाव में व्यस्त होने की वजह से इंडिया गठबंधन पर ध्यान नहीं दे पा रही थी।
अब तो कांग्रेस चुनाव भी लड़ ली, रिजल्ट भी सामने है।
याद रहे @NitishKumar जी इंडिया गठबंधन के सूत्रधार है और…
INDIA ગઠબંધનની બેઠક
મલ્લિકાર્જુન ખરગેએ ચૂંટણી વિધાનસભાનાં પરિણામો બાદ 6 ડિસેમ્બરનાં રોજ INDIA એલાયન્સની બેઠક બોલાવી છે. આ પહેલા પણ ખરગેએ સ્પષ્ટ કરી દીધું હતું કે 5 રાજ્યોમાં ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ જ મીટિંગ બોલાવવામાં આવશે. તેમાં સીટોની વહેંચણીથી લઈને ગઠબંધનનાં સંયોજકનાં નામ સહિત તમામ મહત્વનાં મુદાઓ પર ચર્ચા કરવામાં આવશે.
Congress calls for the next INDIA alliance meeting on December 6.
— ANI (@ANI) December 3, 2023
Party's national president Mallikarjun Kharge dials alliance partners for a meeting in Delhi.
આ પહેલાં 3 બેઠક થઈ છે
I.N.D.I.A એલાયન્સની પહેલી બેઠક 23 જૂનનાં રોજ પટના ખાતે કરવામાં આવી હતી. જ્યારે વિપક્ષી એકતાની બીજી બેઠક 17-18 જૂલાઈનાં બેંગલૂરુમાં થઈ હતી. આ સમયે ભાજપ સામે લડવા માટે વિપક્ષનાં 26 દળો એકસાથે આવ્યાં હતાં. એલાયન્સની ત્રીજી બેઠક 31 ઑગસ્ટથી-1 સપ્ટેમ્બર સુધી મુંબઈમાં થઈ હતી જેમાં 5 કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું હતું.
I.N.D.I.Aની પ્રચાર સમિતિના 21 સભ્યો નામ
I.N.D.I.A ગઠબંધનની પ્રચાર સમિતિના 21 સભ્યોના નામ છે- ગુરદીપ સિંહ સપ્પલ (કોંગ્રેસ), સંજય ઝા જેડી (યુ), અનિલ દેસાઈ (એસએસ), સંજય યાદવ (આરજેડી), પીસી ચાકો (એનસીપી), ચંપાઈ સોરેન (જેએમએમ) ), કિરણમોય નંદા (SP), સંજય સિંહ (AAP), અરુણ કુમાર (CPI-M), બિનોય વિશ્વમ (CPI), નિવૃત્ત જસ્ટિસ હસનૈન મસૂદી (NC), શાહિદ સિદ્દીકી (RLD), NK પ્રેમચંદ્રન, (RSP), જી. દેવરાજન (AIFB), રવિ રાય (CPI-ML), થિરુમાવલન (VCK), કેએમ કાદર મોઈદીન (IUML), જોસ કે મણિ (KC-M), તિરુચી સિવા (DMK), મહેબૂબ બેગ (PDP) અને TMC (નામ નક્કી નથી
લોકસભાની ચૂંટણીથી સત્તાની સેમીફાઈનલમાં જે રીતે મોદીની ગેરેન્ટીએ કામ કરવાનું શરૂ કર્યું છે તે પાર્ટી માટે ખૂબ જ પ્રોત્સાહક છે. પાર્ટીએ છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પોતાનો ઝંડો ફરકાવ્યો છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપનો વિજય થયો છે. પાર્ટીએ સીએમ ફેસ જાહેર ન કર્યો હોવાથી હવે પાર્ટીમાં સીએમ ફેસ પર મંથન શરૂ થશે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં ભાજપને બહુમતી મળ્યા બાદ ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી લોકોનો આભાર માન્યો હતો. પાર્ટીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે આ જનતાની ભાજપમાં વિશ્વાસની જીત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh