બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Commencement of Lord Krishna's marriage festival in Madhavpur
Dinesh
Last Updated: 04:53 PM, 2 April 2023
પોરબંદરના માધવપુર ખાતે રામનવમીના દિવસથી ભગવાન શ્રીકૃષ્ણના લગ્નોત્સવનો પ્રારંભ થયો છે. લગ્ન પૂર્વે 3 દિવસ માધવરાય મંદિરેથી ભગવાનની વર્ણાગી એટલે કે ફુલેકુ નિકળે છે જેમાં દાંડીયારાસની રમઝટ અને ભજન કિર્તન ગાવામાં આવે છે. દ્વિતિય વર્ણાગીમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા. દાંડીયારાસની રમઝટ અને ભજન-કિર્તન સાથે આ વર્ણાગી માધવપુરની શેરીઓમાંથી નિકળી અને બ્રહ્મકુંડ ખાતે પહોંચે છે અને ત્યાં લગ્નની વિધિના ભાગરૂપે કિર્તન બોલવામાં આવે છે. ત્રણ દિવસ સુધી ભગવાનની વર્ણાગીમાં જોડાઈ અને શ્રધ્ધાળુઓ ધન્યતાની લાગણી અનુભવે છે.
દાંડીયારાસની રમઝટ અને ભજન કિર્તન
પોરબંદરના માધવપુર ખાતે રામનવમીના દિવસથી ભગવાન શ્રીકૃષ્ણના લગ્નોત્સવનો પ્રારંભ થયો છે. લગ્ન પૂર્વે ૩ દિવસ માધવરાય મંદિરેથી ભગવાનની વર્ણાગી એટલે કે ફુલેકુ નિકળે છે જેમાં દાંડીયારાસની રમઝટ અને ભજન કિર્તન ગાવામાં આવે છે. દ્વિતિય વર્ણાગીમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા.
શ્રીકૃષ્ણ અને રૂક્ષમણીજીના વિવાહ ઉત્સવનો રામનવમીથી પ્રારંભ થયો
માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષમણીજીના વિવાહ ઉત્સવનો રામનવમીથી પ્રારંભ થયો છે. આ પ્રસંગે માધવરાય નિજમંદિરેથી ત્રણ દિવસ સુધી વર્ણાગી નિકળે છે. પ્રથમ વર્ણાગી રામનવમીના દિવસે નિકળી હતી જયારે ત્રીજી વર્ણાગી ગઈકાલે નિકળી હતી. જયારે ઠાકોજી નિજ મંદિરની બહાર નિકળે છે ત્યારે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. ત્યારબાદ પાલખીમાં ઠાકોરજીનુ સ્વરૂપ બિરાજમાન કરવામાં આવે છે. દાંડીયારાસની રમઝટ અને ભજન-કિર્તન સાથે આ વર્ણાગી માધવપુરની શેરીઓમાંથી નિકળી અને બ્રહ્મકુંડ ખાતે પહોંચે છે અને ત્યાં લગ્નની વિધિના ભાગરૂપે કિર્તન બોલવામાં આવે છે. માધવરાય મંદિરના મુખ્યાજીના જણાવ્યા અનુસાર ભગવાનના લગ્નોત્સવને લઈને વર્ષોથી પરંપરા ચાલી આવે છે.
રૂક્ષમણીજીના વિવાહ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ
માધવપુરવાસીઓમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષમણીજીના વિવાહ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિવારના લગ્ન જેવોજ ઉત્સાહ ભગવાનના લગ્નોત્સવમાં જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસ સુધી ભગવાનની વર્ણાગીમાં જોડાઈ અને શ્રધ્ધાળુઓ ધન્યતાની લાગણી અનુભવે છે.
માધવપુરને શણગારવામાં આવ્યું
ભગવાનના લગ્નોત્સવને લઈને હાલ માધવપુરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે તો રાષ્ટ્રીય કક્ષાાના મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બારસના દિવસે સાંજે 4 કલાકે માધવરાય મંદિરેથી ઠાકોજીની જાન જોડવામાં આવશે અને મધુવન જંગલમાં આવેલા ચોરીમાયરા ખાતે ભગવાનના લગ્નોત્સવની ઉજવણી કરવામાં આવશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir